ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા ગામે યુવાને જીવન ટૂંકાવ્યું: વાંકાનેરના લક્ષ્મીપરામાં ઘર કંકાસથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું


SHARE











મોરબીના આંદરણા ગામે યુવાને જીવન ટૂંકાવ્યું: વાંકાનેરના લક્ષ્મીપરામાં ઘર કંકાસથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું

મોરબીના આદરણા ગામે રહેતા યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જ્યારે વાંકાનેરના લક્ષ્મીપરામાં રહેતા યુવાને તેના પત્ની સાથે ઘર કંકાશ રહેતો હોય કંટાળી જઈને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો આ બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ આંદરણા ગામે રહેતા અજયભાઈ રવજીભાઈ ચાવડા (29) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાના જાતે ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનને તાત્કાલિક હળવદના ચરડવા ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાને ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. ગરીયા ચલાવી રહ્યા છે

વાંકાનેરના લક્ષ્મીપરામાં રહેતા હનીફભાઈ ગનીભાઈ ચૌહાણ (37)ને તેના પત્ની સાથે ઘર કંકાસ રહેતો હોય હાનિભાઈએ કંટાળી જઈને પોતે પોતાની જાતે ઘરમાં પંખા સાથે ચૂંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News