મોરબીના જેતપર ગામે કાલે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: સમગ્ર ગુજરાતનાં ખેડૂતોને રક્તદાન કરવા કરાયું આહ્વાન મોરબીના ગોરખીજડીયા ગામે પ્રાથમિક શાળામાં બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો ગુજરાત સહિત દેશમાં વિદ્યાર્થીઓ-યુવાઓના અવાજને બુલંદ કરવા કોંગ્રેસ દ્વારા એપ્લીકેશન લોન્ચ કરાઇ: મોરબીમાં પત્રકાર પરિષદ યોજાઇ મોરબી : ઘુંટુ ખાતેથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં પકડાયેલ ઈસમ જેલહવાલે મોરબીમાં રીક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ટોળકી સક્રિય...? નઝરબાગ રેલ્વે સ્ટેશનથી બેઠેલા યુવાનને નવલખી રોડે લૂંટવા પ્રયાસ : યુવાન ચાલુ રીક્ષાએ કૂદી જતા સારવારમાં વાંકાનેરના વઘાસીયા ટોલનાકા ઉપર ગ્રામજનો દ્વારા કર્યો હતો ચકકાજામ વાંકાનેર-મોરબી-દાહોદ રૂટ પર નવી એસ.ટી. બસ સેવાનો પ્રારંભ મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બાળકોના જન્મદિવસની દાનરાશિમાંથી ૧૦૦ તાડપત્રીનું વિતરણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબીમાં રીક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ટોળકી સક્રિય...? નઝરબાગ રેલ્વે સ્ટેશનથી બેઠેલા યુવાનને નવલખી રોડે લૂંટવા પ્રયાસ : યુવાન ચાલુ રીક્ષાએ કૂદી જતા સારવારમાં


SHARE











મોરબીમાં રીક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ટોળકી સક્રિય...? નઝરબાગ રેલ્વે સ્ટેશનથી બેઠેલા યુવાનને નવલખી રોડે લૂંટવા પ્રયાસ : યુવાન ચાલુ રીક્ષાએ કૂદી જતા સારવારમાં

મોરબીમાં રીક્ષામાં બેસાડી અવાવરૂ જગ્યાએ લૂંટી લેવાનો પ્રયાસ કરવામાં આવતા હિંમતવાન યુવાને ચાલુ રીક્ષામાંથી કૂદકો લગાવી દીધો હતો. ઈજાગ્રસ્ત થયો હોય સારવાર માટે દવાખાને લઈ જવાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ મોરબીના નવલખી રોડ યમુનાનગર ખાતે રહેતો યુવાન ગત તા.18ના સાંજે પાંચેક વાગ્યે શહેરના સામા કાંઠે આવેલા નઝરબાગ રેલ્વે સ્ટેશન ખાતેથી ઓટો રીક્ષામાં બેસીને ઘરે જવા માંગતો હતો તેથી તે ઈલીયાસ જમાલભાઈ ડામોર નામનો 26 વર્ષનો યુવાન રીક્ષામાં બેઠો હતો ત્યારે રીક્ષાચાલકે રીક્ષા નવલખી રોડ રણછોડનગર નજીક ઉભી રાખવાને બદલે આગળ લઈ જઈને અવાવરૂ જગ્યાએ અટકાવી હતી.ત્યારે રીક્ષામાં પાછળની સીટમાં સાથે બેઠેલા બે અજાણ્યા ઈસમોએ ઈલીયાસના ખિસ્સામાં રહેલ પાકીટ પડાવવા કોશિષ કરી હતી. જો કે યુવાન હિંમતભેર પ્રતિકાર કરીને રીક્ષામાંથી નીચે કૂદી ગયો હતો. જે દરમ્યાન તેને ઈજા થતા સારવારમાં લઈ જવાયો હતો. બનાવને પગલે બી ડીવીઝન પોલીસ મથકના સતીષભાઈ ગળચરે તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે શહેર-જીલ્લામાં અગાઉ પણ આવા બનાવો બનેલા છે ત્યારે શું લૂંટ ચલાવતી ટોળકી સક્રિય થઈ છે તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા હોય ઘનિષ્ઠ કાર્યવાહી જરૂરી છે.

મારામારીમાં ઈજા
મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા કરમશીભાઈ મનજીભાઈ ચંદ્રેશાણીયા (40)ને ગામમાં બોલાચાલી બાદ મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે અત્રેની સિવિલે લવાયો હતો. તેમજ માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે ઘરે થયેલી મારામારીમાં ઈજા પામેલ ફિરોઝ ઓસમાણ મોવર નામના 26 વર્ષના યુવાનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

આમરણ મારામારી
આમરણ ગામે રહેતા જયોત્સનાબેન ભરતભાઈ વજાભાઈ ટોયરા ભરવાડ નામના 35 વર્ષીય મહિલાને ઘરે પતિ-સાસુએ માર મારતા સારવાર માટે અહીની સિવિલે લાવવામાં આવ્યા હતા. બાદમાં જયોત્સનાબેને પતિ ભરત વજાભાઈ ટોયરા અને સાસુ માનુબેન વજાભાઈ સામે ફરીયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે તેમના મોટા પુત્રને પગે ટાંકા આવ્યા હોય ડોકટરને બતાવવા જવા માટે પૈસા માંગ્યા હતા ત્યારે પૈસા નથી તેમ કહીને ઝગડો કર્યા બાદ સાવરણી-ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો.

ગુમ પરત
મોરબીમાં થોડા દિવસો પહેલા કાજલબેન વિજયભાઈ કુંઢીયા ગુમ થયા હોવાની પોલીસમાં  જાણ કરવામા આવી હતી જે મળી આવેલ છે. તેણીને પતિની સાથે ઝગડો થયો હોય  મામાને ઘરે ચાલ્યા ગયા હોવાનુ પોલીસમાં નિવેદન આપ્યુ હતુ.

અકસ્માત
સામા કાંઠે ઘુંટુ રોડ સગુન સિરામીક પાસે બાઈકને સફેદ કલરની અર્ટીગા કારના ચાલકે હડફેટે લેતા મકબુલ સલીમભાઈ પલેજા (28)  રહે. કાંતિનગ માળીયા ફાટક પાસેને ઈજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેમજ ભડીયાદ ખાતે રહેતો મહિપાલ દેવજીભાઈ સુરેલા નામનો 15 વર્ષનો સગીરપડી ગયેલ હોય ઈજા થતા તેને પણ અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો






Latest News