સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત મોરબી : બુટવડા ગામે ઝેરી દવા પીને યુવાને જીવનલીલા સંકેલી મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ખુલ્લા કરવા મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં હનીટ્રેપ દરમ્યાન પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર શખ્સ જેલ હવાલે હળવદના કડીયાણા ગામ પાસે આગ લાગતા ટ્રક અને પેપરનો જથ્થો બળીને ખાખ
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડ ઉપર પેપર મિલમાં લાગેલી આગથી 20 કરોડોનું નુકશાન: હજુ પણ આગ બેકાબૂ, 7 ફાયર ફાઈટર ઘટના સ્થળે


SHARE







વાંકાનેરના માટેલ રોડ ઉપર પેપર મિલમાં લાગેલી આગથી 20 કરોડોનું નુકશાન: હજુ પણ આગ બેકાબૂ, 7 ફાયર ફાઈટર ઘટના સ્થળે

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ એડીકોન પેપર મિલમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી અને કારખાનાના ખુલ્લા મેદાનની અંદર પડેલ પેપર વેસ્ટ જથ્થામાં આગ પ્રસરી ગયેલ હોવાથી તાત્કાલિકા બનાવની ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને એક કે બે નહીં પરંતુ છ જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોચી ગયા હતા અને આગને કાબુમાં લેવા માટે થઈને પાણીનો મારો ચાલુ કરવામાં આવેલ હતો જો કે, સાંજના 7 વાગ્યા સુધીમાં અંદાજે 30 લાખ લિટર પાણીનો મારો કરવામાં આવેલ છે તો પણ હજુ આગ બેકાબૂ છે અને કાલે સવાર સુધી પાણીનો મારો કરવો પડે તેવી શ્ક્યતા છે જેથી કારખાનાના ખુલ્લા મેદાનમાં પડેલા પેપરનો જથ્થો આગમાં બળીને ખાખ થઈ જવાથી કારખાનેદારને 20 કરોડો રુપિયાનું નુકશાન થયું છે. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી.

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ એડીકોન પેપર મીલ નામના કારખાનામાં કોઈ કારણોસર બપોરના સમયે આગ લાગવાની ઘટના બની હતી અને આગ જોત જોતામાં કારખાનાના ખુલ્લા મેદાનમાં પડેલ વેસ્ટ પેપરના સમગ્ર જથ્થામાં પ્રસરી ગઈ હતી અને આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું જેથી આગને કાબુમાં લેવા માટે કારખાનામાં રહેલા ફાયરના સાધનોનો ઉપયોગ કરવામાં આવેલ હતો જો કે, આગને કાબુમાં આવી ન હતી જેથી આ બનાવની ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા મોરબી મહાપાલિકાના ચાર, વાંકાનેર અને હળવદ નગરપાલિકાના એક-એક આમ કુલ મળીને છ ફાયર ફાઈટર ઘટના સ્થળે આવી ગયા હતા અને આગને કાબુમાં લેવા માટે ફાયર ફાઈટર દ્વારા ફાયર ફાઈટિંગ કરીને સતત પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા

વધુમાં ફાયર વિભાગના અધિકારી જયેશભાઇ ડાકીએ જણાવ્યુ હતું કે, એડીકોન કારખાનાના ખુલ્લા મેદાનમાં પડેલા પેપર વેસ્ટના જથ્થામાં આગ લાગી હતી અને આ વધુ પ્રસરી ગઈ હતી જેથી તેને કાબુમાં લેવા માટે 6 ફાયર ફાઇટર કામ કરી રહ્યા હતા તે ઉપરાંત રાજકોટ મહાપાલિકાનું એક ફાયર ફાઇટર બોલાવવામાં આવ્યું હતું આમ 7 ફાયર ફાઇટરથી બપોરથી સાંજ સુધીમાં 30 લાખ લિટર પાણીનો મારો કરવામાં આવ્યો હતો તો પણ હજુ આગ બેકાબૂ છે અને કાલે સવાર સુધી પાણીનો મારો કરવો પડે તેવી શ્ક્યતા છે. વધુમાં એડીકોન કંપનીના દડાયરેક્ટર દિનેશભાઇ કાવર પાસેથી મળતી માહિતી મુજબ તેઓના કારખાનામાં ખુલ્લી જગ્યામાં અંદાજે 24 હજાર ટન વેસ્ટ પેપરનો જથ્થો પડ્યો હતો જેમથી 12 હજાર ટન જથ્થો આગની ઝપેટમાં આવી ગયો છે અને જે જગ્યાએ આગ લાગી હતી ત્યાં કોઈ પણ પ્રકારનું કામ ચાલુ ન હતી અને ત્યાં ઇલેક્ટ્રીક વાયર પણ નથી જેથી આગ કેવી રીતે લાગી તે કહેવું મુશ્કેલ છે પરંતુ આ આગ લાગવાના લીધે અંદાજે 20 કરોડથી વધુની કિંમતનો માલ બળીને ખાખ થઈ ગયો છે જો કે, સદનસીબે કોઈને ઇજા થઈ નથી અને કોઈ જાનહાનિ થયેલ નથી.






Latest News