મોરબીના જેતપર ગામે સત્યગ્રહ છાવણીની બહાર ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો મોરબી જીલ્લામાં મેઘમહેર: માળિયા (મી)માં સવા પાંચ ઇંચ અને વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચા વરસાદ ટંકારાના નેકનામ ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ 29.70 લાખ સામે 2.05 કરોડ પડાવી લીધા છતાં વધુ 50 લાખની ઉઘરાણી હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી નજીક વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 શખ્સ 50,080 ની રોકડ સાથે પકડાયા અપમૃત્યુના 3 બનાવ: વાંકાનેર શહેરમાં એક યુવાન અને એક આધેડ તથા મોરબીના ઘુટુ ગામે એક આધેડનું મોત મોરબીના બરવાળા પાસે ટ્રેન સાથે અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)માં મહાદેવ મંદિરે આશીર્વાદ કા દિયા કાર્યક્રમ યોજાયો, ૩૦૦૦ દીવડાઓથી બગીચો ઝળહળી ઊઠ્યો


SHARE





માળીયા (મી)માં મહાદેવ મંદિરે આશીર્વાદ કા દિયા કાર્યક્રમ યોજાયો, ૩૦૦૦ દીવડાઓથી બગીચો ઝળહળી ઊઠ્યો

માળીયા મિયાણા નગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર સમાન મહાદેવ મંદિર તળાવની પાળે આવેલા બગીચામાં ભવ્ય ‘આશીર્વાદ કા દિયા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ દરમિયાન એકસાથે પ્રગટાવવામાં આવેલા ૩,૦૦૦ દીવાઓથી સમગ્ર મંદિર પરિસર અને બગીચો દિવ્ય રોશનીથી ઝળહળી ઊઠ્યા હતા. શહેરમાં શાંતિ, સદ્ભાવના અને સમૃદ્ધિ વધે તેવા ઉમદા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમે ઉપસ્થિત તમામ નાગરિકોના મન મોહી લીધા હતા. આ કાર્યક્રમ માળીયા મિયાણા નગરપાલિકાના ચીફ ઓફિસર મયુરભાઈ જોષી તેમજ નગરપાલિકા પ્રમુખ હારૂનભાઈ સંધવાણીના સીધા માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.




Latest News