મોરબીના જેતપર ગામે સત્યગ્રહ છાવણીની બહાર ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો મોરબી જીલ્લામાં મેઘમહેર: માળિયા (મી)માં સવા પાંચ ઇંચ અને વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચા વરસાદ ટંકારાના નેકનામ ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ 29.70 લાખ સામે 2.05 કરોડ પડાવી લીધા છતાં વધુ 50 લાખની ઉઘરાણી હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી નજીક વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 શખ્સ 50,080 ની રોકડ સાથે પકડાયા અપમૃત્યુના 3 બનાવ: વાંકાનેર શહેરમાં એક યુવાન અને એક આધેડ તથા મોરબીના ઘુટુ ગામે એક આધેડનું મોત મોરબીના બરવાળા પાસે ટ્રેન સાથે અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિધાલય માં વિધાર્થી મંત્રી મંડળની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો


SHARE





મોરબીની ભારતી વિધાલય માં વિધાર્થી મંત્રી મંડળની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં આવેલ ભારતી વિધાલય શાળામાં લોકશાહી પર્વની ઉજવણીના ભાગરૂપે વિધાર્થી મંત્રી મંડળની ચુંટણી યોજવામાં આવી હતી જેમાં સાત અલગ અલગ વિભાગના મંત્રીની ચુંટણી થયેલ હતી અને સાત મંત્રીઓના પદમાં મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, ગૃહમંત્રી, શિસ્તમંત્રી, શિક્ષણમંત્રી, સાંસ્કૃતિક મંત્રી, રમત ગમત મંત્રીનો સમાવેશ કર્યો હતો અને આ ચૂંટણી કાર્યક્રમમાં શાળાના કુલ 28 વિધાર્થીઓ ઉમેદવાર બન્યા હતા અને શાળાના ધો.  5 થી 12 ના વિધાર્થીઓએ તેમને યોગ્યતા મુજબ મત આપેલ હતા આ કાર્યક્રમમાં શ્રીમતી ધર્મિસ્ઠાબેન કડીવાર (EI-મોરબી), લાલજીભાઈ મહેતા (શાળા સ્થાપક), જયરાજસિંહ જાડેજા (પૂર્વ ઉપપ્રમુખ, મોરબી નગરપાલિકા) તેમજ વોર્ડ નં. 3 ના કોર્પોરેટર ભૂપતભાઇ જારીયા, શ્રીમતી અર્પિતાબા જાડેજા તેમજ પુષ્પરાજસિંહ જાડેજા અને કેતનભાઈ બોપલિયા હજાર રહ્યા હતા અને શાળા સંચાલક કૌશલભાઈ મહેતાએ મહેમાનોને શાળા દ્વારા યોજાયેલ ચૂંટણીની માહિતી આપી હતી. અને મત ગણતરી પૂરી કરીને વિજેતા બાળ મંત્રીઓના નામ જાહેર કર્યા હતા જો કે, શપથવિધિનો કાર્યક્રમ તા. 19/ 9ના રોજ યોજાશે. આ સાથે મહેમાનોના હસ્તે શાળાના મેદાનમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. અને શાળા પ્રમુખ હિતેશભાઈ મહેતાએ સારા અને યોગ્ય ઉમેદવારોને મત આપવાની વિધાર્થીઓને અપીલ કરેલ હતી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્ટાફે જહેમત ઉઠાવી હતી




Latest News