મોરબીના જેતપર ગામે સત્યગ્રહ છાવણીની બહાર ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો મોરબી જીલ્લામાં મેઘમહેર: માળિયા (મી)માં સવા પાંચ ઇંચ અને વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચા વરસાદ ટંકારાના નેકનામ ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ 29.70 લાખ સામે 2.05 કરોડ પડાવી લીધા છતાં વધુ 50 લાખની ઉઘરાણી હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી નજીક વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 શખ્સ 50,080 ની રોકડ સાથે પકડાયા અપમૃત્યુના 3 બનાવ: વાંકાનેર શહેરમાં એક યુવાન અને એક આધેડ તથા મોરબીના ઘુટુ ગામે એક આધેડનું મોત મોરબીના બરવાળા પાસે ટ્રેન સાથે અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના કલેક્ટરે રાજપર(કું) ગામે ભૂમિ સીમાંકન તથા કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સમીક્ષા કરી


SHARE





મોરબીના કલેક્ટરે રાજપર(કું) ગામે ભૂમિ સીમાંકન તથા કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સમીક્ષા કરી

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ મોરબી તાલુકાના રાજપર(કું) ગામે ચાલી રહેલી ભૂમિ સીમાંકન કામગીરી તેમજ માળીયા તાલુકાના કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સ્થળ મુલાકાત લઈ ચકાસણી અને સમીક્ષા કરી હતી.

રાજપર(કું) ગામની મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરએ એસ.એલ.આર., આઈ.એલ.આર., તલાટી-કમ-મંત્રી, અરજદારો તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં ચાલી રહેલી માપણી કામગીરીનું સ્થળ પર અવલોકન કર્યું હતું. તેમણે કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપી કામગીરીમાં ચોકસાઈ અને પારદર્શિતા જળવાઈ રહે તે અંગે અધિકારીઓને સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરએ માળીયા તાલુકાના કુંતાસી ગામની મુલાકાત લઈ સ્વામિત્વ યોજના અંતર્ગત ચાલી રહેલી કામગીરીની ચકાસણી કરી હતી. તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી કામગીરીની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.




Latest News