સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત મોરબી : બુટવડા ગામે ઝેરી દવા પીને યુવાને જીવનલીલા સંકેલી મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ખુલ્લા કરવા મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં હનીટ્રેપ દરમ્યાન પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર શખ્સ જેલ હવાલે હળવદના કડીયાણા ગામ પાસે આગ લાગતા ટ્રક અને પેપરનો જથ્થો બળીને ખાખ
Breaking news
Morbi Today

હળવદના સેવાભાવી યુવાન અને જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે દ્વારા ૪૫ મી વખત રક્તદાન


SHARE







હળવદના સેવાભાવી યુવાન અને જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે દ્વારા ૪૫ મી વખત રક્તદાન

હળવદના સેવાભાવી નવયુવાન તથા જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે દ્વારા માનવસેવાના ઉત્તમ કાર્યને આગળ વધારતા મોરબી ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ૪૫ મી વખત સ્વૈચ્છિક રક્તદાન કરવામાં આવ્યું હતું.

રક્તદાન બાદ તપનભાઈ દવેએ જણાવ્યું હતું કે, રક્તદાનએ મહાદાન છે. આપણા થોડા સમય અને એક યુનિટ રક્તથી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને નવું જીવન મળી શકે છે. સમાજના વધુમાં વધુ યુવાનો નિયમિત રક્તદાન માટે આગળ આવે તે આજના સમયની જરૂરિયાત છે.આ તકે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ તેમના સેવાભાવ અને સમાજ પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરી હતી. સતત ૪૫મી વખત રક્તદાન કરીને શ્રી તપનભાઈ દવેએ સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.સમાજસેવા અને માનવ કલ્યાણના કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા તપનભાઈ દવેનું આ કાર્ય યુવા પેઢી માટે પ્રેરણારૂપ બનશે અને વધુમાં વધુ લોકો સ્વૈચ્છિક રક્તદાન તરફ પ્રેરાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.






Latest News