ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના નવા મકનસર ગામે શાળાના નવનિર્મિત બિલ્ડીંગનું ધારાસભ્ય દુર્લભભાઈ દેથરીયાએ કર્યું લોકાપર્ણ મોરબીના શનાળા ગામે તળાવમાં મૃત્યુ પામેલા માછલીઓનો મનપા દ્વારા નિકાલ કરાયો
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે તળાવમાં મૃત્યુ પામેલા માછલીઓનો મનપા દ્વારા નિકાલ કરાયો


SHARE











મોરબીના શનાળા ગામે તળાવમાં મૃત્યુ પામેલા માછલીઓનો મનપા દ્વારા નિકાલ કરાયો

મોરબીના શનાળા ગામે તળાવમાં માછલીઓના મૃત્યુ થયા હતા જેની જાણ થતાં SWM શાખાની ટીમે ત્યાં જઈને મૃત માછલીઓનો નિકાલ કર્યો હતો અને સ્વચ્છતા માટેની કાર્યવાહી કરી હતી તેમજ શહેરના જુદાજુદા વિસ્તારમાં આવેલા નાળાઓની સફાઈ પણ કરવામાં આવી હતી.

મોરબી મહાપાલિકાની (SWM) શાખા દ્વારા વર્ષ 2026 દરમિયાન શહેરની સ્વચ્છતા, જાહેર આરોગ્ય અને ઘન કચરા વ્યવસ્થાપન ક્ષેત્રે ઉલ્લેખનીય અને પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. તમામ SSI ને SWM Rules-2026 અંતર્ગત સરદારબાગ ખાતે વિશેષ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ અને કર્મચારીઓને સ્વચ્છતા નિયમો, કચરા વ્યવસ્થાપન પદ્ધતિઓ તથા કામગીરીના ધોરણો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને શનાળા ગામ પાસે આવેલ તળાવમાં રહસ્યમય રીતે માછલીઓના મૃત્યુ થયા હતા જેથી SWM શાખાએ તાત્કાલિક અસરકારક કાર્યવાહી કરીને મૃત માછલીઓનું નિરાકરણ કરી માછલાંના મૃતદેહને ઉપાડવામાં આવ્યા હતા. તેમજ શહેરમાં વિશેષ સ્વચ્છતા અભિયાન અંતર્ગત નરસંગ ટેકરી મંદિરથી રવાપર ચોકડી સુધી વ્યાપક અને સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત SWM શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નાળાઓની નિયમિત સફાઈ કામગીરી પણ કરવામાં આવી હતી. જેમાં ગુરુદત્તાત્રેય મંદિર સામે આવેલ નાળું, શ્રીકુંજ વિસ્તારનું નાળું તથા શિવાલય પ્લાઝા વિસ્તારના નાળાની સઘન સફાઈનો સમાવેશ થાય છે.






Latest News