ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

ટંકારાના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે નુતન વર્ષ નિમિત્તે અન્નકુટ દર્શનનું આયોજન


SHARE











ટંકારાના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે નુતન વર્ષ નિમિત્તે અન્નકુટ દર્શનનું આયોજન

ટંકારાના શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે નુતન વર્ષ નિમિત્તે અન્નકુટ દર્શન આગામી 21 તારીખને મંગળવારે યોજાશે. જેનો હરી ભક્તો એ દર્શનનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે આ ઉપરાંત પાતરમા પ્રસાદ યોજાશે.

ટંકારા મધ્યમા બિરાજતા અને ગ્રામદેવતા તરીકે પુજાતા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે પ્રતી વર્ષની જેમ આ વર્ષે પણ નુતન વર્ષની ઉજવણી આજથી અગિયારસ થી શરૂ થઈ ગઈ છે. મંદિરને વિશેષ શ્રીગાર કરવામા આવ્યો છે આજે સાંજે શ્રી હરી સમસ્ત દરબાર સાથે બંગલા દર્શનમાં બિરાજમાન થશે સવાર સાંજ નોબત ના શુર ગુંજશે બેસતા વર્ષના દિવસે દાદા સન્મુખ જુદી જુદી ભાજીના શાક સંભાર ફળ મિઠાઇ અને પ્રસાદ  ધરવામાં આવશે. ટંકારા સહીત રાજકોટ મોરબી અમદાવાદ વાકાનેર જામનગર મુબઈ દેશ દેશાંતરમાં વસતા તમામ હરી ભક્તો ટંકારા પધારશે.






Latest News