ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં પાટીદાર વુમન્સ ગૃપના સભ્ય દ્વારા રાશન કીટનું વિતરણ કરીને જન્મદિવસની ઉજવણી કરાઇ


SHARE











મોરબીમાં પાટીદાર વુમન્સ ગૃપના સભ્ય દ્વારા રાશન કીટનું વિતરણ કરીને જન્મદિવસની ઉજવણી કરાઇ

મોરબીમાં પાટીદાર વુમન્સ ગૃપ દ્વારા જન્મદિવસની ઉજવણીમાં ખોટા ખર્ચને બદલે લોકોને ઉપયોગી થાય તે માટે અનેરો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં પાટીદાર વુમન્સ ગ્રુપના અગ્રણીના જન્મદિવસ નિમિતે નબળા વર્ગના લોકોને રાશન કીટ આપી ઉજવણી કરવામાં આવી હતી મોરબી પાટીદાર વુમન્સ ગ્રુપના અગ્રણી કાજલબેન આદ્રોજાના જન્મદિવસની ઉજવણી સેવાકીય કાર્યોથી તે થાય માટે ગ્રુપના સભ્યોએ મોરબીના રેન બસેરા વસતા લોકોને રાહત મળે અને પોતાનું ગુજરાન સરળતાથી ચલાવી શકે તે માટે રાશન કીટ ની વિતરણ કરવામાં આવ્યો હતું જેમાં ૧૩૦ જેટલા લોકોને રાશન કીટ વિતરણ કરવામાં આવતા તેઓના ચેહરા પર ખુશી જોવા મળી હતી. સેવાકીય કાર્યમાં પાટીદાર વુમન્સ ગ્રુપના સાધનાબેન ઘોડાસરા, કાજલબેન આદ્રોજા, નીરૂબેન, ચંદાબેન કાબરા અને આશાબેન સહિતના સભ્યો જોડાયા હતા. તેમજ શ્રી સિદ્ધિ ખાદી ગ્રામ ઉધોગ કેળવણી સંસ્થા સંચાલિત મહારાણી શ્રી નંદકુવર બા આશ્રય ગૃહ ઉપસ્થિત કાર્યકર પ્રતિનિધિ અસ્મિતા ગોસ્વામી અને પરેશભાઈ ત્રિવેદી તથા આશ્રય ગૃહ  સંચાલક ટીમ મેમ્બર્સ પણ ઉપસ્થિતિ રહ્યાં હતા.






Latest News