ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી બગથળા નકલંક ધામ મંદિરે નૂતન વર્ષે અન્નકૂટ દર્શન-મહાપ્રસાદનું આયોજન


SHARE











મોરબી બગથળા નકલંક ધામ મંદિરે નૂતન વર્ષે અન્નકૂટ દર્શન-મહાપ્રસાદનું આયોજન

મોરબીના બગથળા નકલંકધામ મંદિરે દર વર્ષે નૂતન વર્ષના દિવસે અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે આવી જ રીતે આ વર્ષે પણ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ધર્મપ્રેમી લોકોને લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

મોરબીના બગથળા ગામે આવેલ નકલંકધામ મંદિરે નૂતન વર્ષના દિવસે લોકો પૂજન અર્ચન માટે આવતા હોય છે. ત્યારે નૂતન વર્ષના દિવસે અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે બગથળાના નંકલંક મંદિરે તા. 22 ને બુધવારે શરૂ થતા નવા વર્ષ નિમિતે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ ૯ કલાકે આરતી યોજાશે અને ૯:૩૦ કલાકથી મહાપ્રસાદ શરૂ કરી દેવામાં આવશે તેમજ રાતે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો બગથળા તેમજ આસપાસના ગામના લોકોને લાભ લેવા માટે નકલંકધામ મંદિરના મહંત દમજી ભગત અને આયોજકોએ અનુરોધ કરેલ છે.






Latest News