મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શ્રમ અને રોજગાર મંત્રાલયની જવાબદારી સોંપાઈ


SHARE













મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શ્રમ અને રોજગાર મંત્રાલયની જવાબદારી સોંપાઈ

ગાંધીનગર ખાતે શુક્રવારે મહાત્મા મંદિરમાં રાજ્ય સરકારના નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 20 મંત્રીઓએ શપથ લીધા હતા અને તેમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા પણ શપથ લેવામાં આવ્યા હતા અને ત્યાર બાદ સાંજે મળેલ કેબિનેટની બેઠકમાં દરેક મંત્રીને ખાતાની ફાળવણી પણ કરી દેવામાં આવેલ છે જેમાં મોરબી માળિયાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયાને શ્રમ અને રોજગાર મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવેલ છે.

ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની હાજરીમાં શુક્રવારે મહાત્મા મંદિર ખાતે નવા મંત્રી મંડળના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ગુજરાતના ભાજપના 162 ધારાસભ્ય હાજર રહ્યા હતા અને તેમાંથી કુલ મળીને મુખ્યમંત્રી સહિત 20 ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવેલ છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં કુલ મળીને નવ ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવેલ છે જો મોરબીની વાત કરીએ તો છેલ્લા 32 વર્ષથી ભાજપનું મોરબી અને માળીયામાં નેતૃત્વ કરતા સિનિયર ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેઓને પણ આજે રાજય કક્ષાના મંત્રી તરીકેના શપથ લીધા હતા ત્યાર બાદ સાંજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ મંત્રીઓ હાજર રહ્યા હતા અને તેઓને આજે જ જુદાજુદા વિભાગની જવાબદારી સોંપી દેવામાં આવેલ છે ત્યારે મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શ્રમ અને રોજગાર વિભાગની જવાબદારી સોંપવામાં આવેલ છે જેથી ભાજપના સ્થાનિક આગેવાનો, હોદેદારો અને કાર્યકરોમાં હર્ષની લાગણી છે.






Latest News