મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો


SHARE







હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો

હળવદના બુટવડા ગામે પરણીતાએ આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક મહિલાના પિતાએ તેની દીકરીને પતિ દ્વારા ચારિત્રની શંકા રાખીને દુખ ત્રાસ આપવામાં આવતો હતો જેથી ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે હાલમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

ધાંગધ્રા તાલુકાના થળા ગામના રહેવાસી ચંદુભાઈ ગણેશભાઈ પાડલીયાએ તેના જમાઈ મુકેશભાઈ ગણેશભાઈ લોદરીયાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, જૂન 2025 માં તેઓની દીકરી અલ્કાબેનના લગ્ન મુકેશભાઈ લોદરીયા સાથે થયા હતા અને ફરિયાદીના જમાઈ ફરિયાદીની દીકરી ઉપર ચારિત્રની શંકા રાખતા હતા અને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા જે બાબતે ફરિયાદીની દીકરીઅવારનવાર અગાઉ તેઓને જાણ પણ કરી હતી જેથી સમાધાન કરવા માટેના ફરિયાદીતેના જમાઈ અને વેવાઈની સાથે વાત પણ કરી હતી જોકે, ફરીયાદીની દીકરીએ પુત્રને જન્મ આપ્યા બાદ તેના પતિનું વર્તન બદલાઈ ગયું હતું અને ફરિયાદીની દીકરીના ચારિત્ર ઉપર શંકા કરવામાં આવતી હતી જેથી કંટાળી જઈને ફરિયાદીની દીકરીએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક મહિલાના પતિ સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News