વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો
હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ સામે ગુનો નોંધાયો
SHARE
હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ સામે ગુનો નોંધાયો
હળવદના બુટવડા ગામે પરણીતાએ આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક મહિલાના પિતાએ તેની દીકરીને પતિ દ્વારા ચારિત્રની શંકા રાખીને દુખ ત્રાસ આપવામાં આવતો હતો જેથી ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે હાલમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
ધાંગધ્રા તાલુકાના થળા ગામના રહેવાસી ચંદુભાઈ ગણેશભાઈ પાડલીયાએ તેના જમાઈ મુકેશભાઈ ગણેશભાઈ લોદરીયાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, જૂન 2025 માં તેઓની દીકરી અલ્કાબેનના લગ્ન મુકેશભાઈ લોદરીયા સાથે થયા હતા અને ફરિયાદીના જમાઈ ફરિયાદીની દીકરી ઉપર ચારિત્રની શંકા રાખતા હતા અને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા જે બાબતે ફરિયાદીની દીકરીએ અવારનવાર અગાઉ તેઓને જાણ પણ કરી હતી જેથી સમાધાન કરવા માટેના ફરિયાદીએ તેના જમાઈ અને વેવાઈની સાથે વાત પણ કરી હતી જોકે, ફરીયાદીની દીકરીએ પુત્રને જન્મ આપ્યા બાદ તેના પતિનું વર્તન બદલાઈ ગયું હતું અને ફરિયાદીની દીકરીના ચારિત્ર ઉપર શંકા કરવામાં આવતી હતી જેથી કંટાળી જઈને ફરિયાદીની દીકરીએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક મહિલાના પતિ સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે









