મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત


SHARE







મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભમાં વીજ વાયર નાખવા માટેની કામગીરી કરવામાં આવેલ છે જો કે, યોગ્ય રીતે જમીનમાં વાયર નાખવામાં આવે તેના માટે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા મોરબી પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી છે.

મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાપીજીવીસીએલના અધિક્ષક ઇજનેરને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી સુધી અને કડિયા બોર્ડિંગ આસપાસમાં પીજીવીસીએલ દ્વારા ભૂગર્ભમાં નાખેલા વાયર જમીનની ઉપરના ભાગમાં આવી ગયા છે. જેથી કરીને ચોમાસમાં કોઈ જીવલેણ અકસ્માત થાય તેવી શક્યતા છે જેથી કરીને ભૂગર્ભમાં વાયરો નિયમ મુજબ ઊંડા નાખવામાં આવે તેવી માંગ કરી છે. અને જો તંત્ર દ્વારા બેદરકારી રાખવામા આવશે અને કોઈપણ જનહાનિ થશે તો તેની સીધી જવાબદારી પીજીવીસીએલની રહેશે તેવી ચીમકી શહેર કોંગ્રેસ પ્રમુખે ઉચ્ચારી છે.






Latest News