મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત
માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
SHARE
માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
માળીયા મીયાણામાં જુના બસ સ્ટેશન પાસે થોડા દિવસો પહેલા ફાયરિંગ કરીને યુવાનની હત્યા કરવામાં આવી હતી તે યુવાનની સગીર દીકરીને પોતાના પિતા યાદ આવતા હતા જેથી તેને પોતે પોતાના ઘરની અંદર ચુંદડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની માળિયા તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા મીયાણામાં જુના બસ સ્ટેશનની સામેના ભાગમાં રહેતી સાયનાબેન હૈદરભાઈ મોવર (15) નામની સગીરાએ પોતે પોતાના ઘરની અંદર બપોરના ત્રણ વાગ્યાના અરસામાં પોતાની ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની વાત કરી હતી. વધુમાં આ બનાવની તપાસ માળિયા મિયાણાં તાલુકા પોલીસ સ્ટેશનના આઇ.ટી. જામ ચલાવી રહ્યા હોય તેઓની પાસેથી મળતી પ્રમાણે મૃતક સગીરાને તેના પિતા કે જેમની થોડા સમય પહેલા જ ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી હતી તેની યાદ આવતી હોય બપોરે જમ્યા બાદ તે રૂમમાં આરામ કરવા માટે ગઈ હતી અને ત્યાં તેને રૂમમાં પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે સગીરાનું મોત નીપજયું છે આ અંગેની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. #મોરબી #morbi