તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાંથી માતા પ્રેમી સાથે ભાગી જતાં બે દીકરીઓએ કર્યો આપઘાતનો પ્રયાસ


SHARE











વાંકાનેર તાલુકામાંથી માતા પ્રેમી સાથે ભાગી જતાં બે દીકરીઓએ કર્યો આપઘાતનો પ્રયા

વાંકાનેર તાલુકાનાં ગામડામાંથી પરિણીતા પોતાની ચાર પુત્રીઓને મુકીને પ્રેમી સાથે ફરાર થઈ જતાં પાછળથી તેની બે દીકરીઓએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં બંન્નેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં પેટીયુ રળવા આવેલા પરિવારની પરિણીતા પ્રેમી સાથે નાશી ગઈ છે જેથી કરીને તે પરિણીતાની બે દીકરીઓએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે બંને બાળકીઓને સારવાર માટે તાત્કાલિક રાજકોટ ખાતે ખસેડવામાં આવી છે આ બનાવની પોલીસ પાસેથી મળતી પ્રાથમિક વિગત મુજબ છોટાઉદેપુર જિલ્લામાંથી એક પરિવાર રોજગારી માટે વાંકાનેર તાલુકામાં આવેલ હતો અને ખેત મજુરી કરીને ગુજરાન ચલાવતા હતા દરમ્યાન પરિણીતા પાંચ દીકરીઓને છોડીને પ્રેમી સાથે ભાગી ગયેલ છે જેથી કરીને તેની બે દીકરીઓએ ઝેરી દવા પી લીધી છે માટે તે સારવારમાં છે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે






Latest News