ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર ગામે વાહન ઉપર લખેલ 'જય ભીમ' કાઢી નાખવાનું કહીને યુવાન ઉપર હુમલો


SHARE







મોરબીના પંચાસર ગામે વાહન ઉપર લખેલ 'જય ભીમ' કાઢી નાખવાનું કહીને યુવાન ઉપર હુમલો

મોરબી તાલુકાના પંચાસર ગામે ગઈકાલે રાત્રિ દરમિયાન ઝઘડો થયો હતો જેમાં યુવાન ઉપર બોલાચાલી કર્યા બાદ ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોય આ અંગે પંચાસર ગામના લોકો પોલીસ મેથકે આવ્યા હતા અને યુવાનના વાહનના કાચ ઉપર લખેલ "જય ભીમ" ને કાઢી નાંખવાનું કહીને તેની સાથે ઝઘડો કર્યા બાદ હુમલો કરવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલ યુવાન દ્રારા ફરિયાદ કરવામાં આવતા તાલુકા પોલીસે હાલમાં એક શખ્સ સામે ફરિયાદ નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી નજીકના પંચાસર ગામે રહેતા અને ભાર વાહન ચલાવીને ગુજરાન ચલાવતા જગદીશ બાબુભાઇ પરમાર નામના ૩૫ વર્ષના યુવાન ઉપર ગામમાં જ રહેતા હિતુભા વિક્રમસિંહ ઝાલા નામના શખ્સ દ્રારા બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને બાદમાં ઘરે જઈને તે યુવાનની સાથે ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાન સહિતના લોકો પોલીસ મથકે દોડી આવ્યા હતા અને બાદમાં ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં હાલમાં જગદીશ બાબુભાઈ પરમાર નામના યુવાને પંચાસર ગામના હિતુભા વિક્રમસિંહ ઝાલા સામે તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે

જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીએ પોતાની મહેન્દ્રા કંપનીની જીતો નામના ભાર વાહક વાહન નંબર જીજે ૩૬ ટી ૫૦૬૭ ના કાચ ઉપર “જય ભીમ” લખાવેલું હોય તે લખાણ કાઢી નાખવાનું કહીને તેની સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો અને બાદમાં તેના ઘરે આવીને હિતુભા ઝાલાએ ઉશકેરાઈ જઈને ઝપાઝપી કરી હતી અને જગદીશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી હાલમાં જગદીશભાઈ પરમારની ફરિયાદ ઉપરથી મોરબી તાલુકા પોલીસ દ્વારા હિતુભા વિક્રમસિંહ ઝાલા સામે એટ્રોસિટી અને ધમકી આપવા સબ ગુનો નોંધવામાં આવ્યો છે જેની તપાસ ઇન્ચાર્જ એસ.સી.એસ.ટી. સેલના ડીવાયએસપી પી.એ. ઝાલા ચલાવી રહ્યા છે.






Latest News