મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ
મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
SHARE
મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબીના જેતપર રોડ ઉપર એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલ શ્રમિક યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતક યુવાનને માનસિક તકલીફ હોય તેને આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સેન્ટાગોન સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અર્જુનભાઈ રાયસંગભાઈ મજહિ (37) એ લેબર કોલોનીમાં આવેલ તેના કવાર્ટરમાં કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મૃતકના ભાઈ ભીમાભાઇ રાયસીંગભાઈ મજહી જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક એક દિવસ પહેલા જ તેના વતનમાંથી મોરબી આવ્યો હતો અને તેને કોઈ માનસિક તકલીફ હોવાથી તેને આ પગલું ભરી લીધેલ છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.









