માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

ટંકારાના અમરાપર પાસે કાર રોડ સાઈડમાં નીચે ઉતરી જતાં સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત


SHARE











ટંકારાના અમરાપર પાસે કાર રોડ સાઈડમાં નીચે ઉતરી જતાં સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત

ટંકારા તાલુકાના અમરાપર ગામ પાસેથી પસાર થઈ રહેલી કારના ચાલકે પોતાની કારના સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી કરીને કાર રોડની સાઈડમાં આવેલા વેણમાં જતી રહી હતી અને અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવમાં હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઇને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે યદુનંદન-2 માં રહેતા યોગેન્દ્રસિંહ કિર્તિસિંહ જાડેજા (ઉમર વર્ષ 35) પોતાની મહેન્દ્ર કંપની કાર નંબર જીજે 36 ટી 4311 ને લઈને ટંકારા તાલુકાના અમરાપર ગામ પાસેથી વાંકાનેર તરફ જઈ રહ્યા હતા ત્યારે અમરાપર નજીક આવેલ વળાંકમાં તેણે પોતાની ગાડીના સ્ટેરીંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી કરીને ગાડી રોડની બાજુમાં આવેલા વેણમાં જતી રહી હતી અને અકસ્માત સર્જાયો હતો અકસ્માતના આ બનાવની અંદર ઈજા થવાના કારણે યોગેન્દ્રસિંહ જાડેજાનુ ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અને આ બનાવમાં હાલમાં પોલીસે મૃતક યુવાનના ભાઈ જયેન્દ્રસિંહ જાડેજા (ઉમર વર્ષ 43) ની ફરિયાદ લઈને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News