મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

ટંકારાના અમરાપર પાસે કાર રોડ સાઈડમાં નીચે ઉતરી જતાં સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત


SHARE











ટંકારાના અમરાપર પાસે કાર રોડ સાઈડમાં નીચે ઉતરી જતાં સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત

ટંકારા તાલુકાના અમરાપર ગામ પાસેથી પસાર થઈ રહેલી કારના ચાલકે પોતાની કારના સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી કરીને કાર રોડની સાઈડમાં આવેલા વેણમાં જતી રહી હતી અને અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવમાં હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઇને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે યદુનંદન-2 માં રહેતા યોગેન્દ્રસિંહ કિર્તિસિંહ જાડેજા (ઉમર વર્ષ 35) પોતાની મહેન્દ્ર કંપની કાર નંબર જીજે 36 ટી 4311 ને લઈને ટંકારા તાલુકાના અમરાપર ગામ પાસેથી વાંકાનેર તરફ જઈ રહ્યા હતા ત્યારે અમરાપર નજીક આવેલ વળાંકમાં તેણે પોતાની ગાડીના સ્ટેરીંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી કરીને ગાડી રોડની બાજુમાં આવેલા વેણમાં જતી રહી હતી અને અકસ્માત સર્જાયો હતો અકસ્માતના આ બનાવની અંદર ઈજા થવાના કારણે યોગેન્દ્રસિંહ જાડેજાનુ ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અને આ બનાવમાં હાલમાં પોલીસે મૃતક યુવાનના ભાઈ જયેન્દ્રસિંહ જાડેજા (ઉમર વર્ષ 43) ની ફરિયાદ લઈને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News