ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

ટંકારામાં વાડીના રસ્તે પાણીના નિકાલ બાબતે ઝઘડો કરીને આધેડને પિતા-પુત્રએ માર માર્યો


SHARE











ટંકારામાં વાડીના રસ્તે પાણીના નિકાલ બાબતે ઝઘડો કરીને આધેડને પિતા-પુત્રએ માર માર્યો

ટંકારામાં રહેતા આધેડની સાથે વાડીના રસ્તે પાણીના નિકાલ બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને આધેડને લાકડાના ધોકા વડે ખભા અને હાથ ઉપર માર મારીને ફેક્ર જેવી ઇજા કરવામાં આવેલ છે અને ગર્ભિત ધમકી પણ આપવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ આધેડે સારવાર લીધા બાદ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

ટંકારામાં મઠવાળી શેરીમાં જુના આર્ય સમાજની બાજુમાં રહેતા ગોવિંદભાઈ રણછોડભાઈ લો (50)એ હાલમાં દિલીપભાઈ છગનભાઈ ઘેટીયા અને છગનભાઈ રાવજીભાઈ ઘેટીયા રહે. બંને ગાયત્રીનગર ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, એક દિવસ પહેલા દિલીપભાઈ ઘેટીયાએ વાડીના રસ્તામાં પાણી નિકાલ બાબતે ફરિયાદી સાથે ઝઘડો કરીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ તે વાતનો ખા રાખીને લાકડાના ધોકા વડે ફરિયાદી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ખભા તથા જમણા હાથમાં મારમારીને ફ્રેક્ચર જેવી ઈજા કરવામાં આવી હતી અને છગનભાઈ ઘેટીયાફરિયાદીને ગર્ભિત ધમકી આપી હતી જેથી ભોગ બનેલ આધેડ દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.






Latest News