મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાંથી પરણિતાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં બે સગા ભાઈઓની ધરપકડ


SHARE











મોરબીમાંથી પરણિતાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં બે સગા ભાઈઓની ધરપકડ

મોરબી જેતપર રોડ ઉપર કારખાનામાં રહી મજુરી કામ કરતા પરીવારની પરણીતાનું અપહરણ કરી એમપી લઈ જવામાં આવેલ હતી. જે બાબતે ભોગ બનનારની માતાએ એમપી ખાતે ફરીયાદ કરી હતી. જેથી ત્યાં ઝીરો નંબરથી ફરીયાદ નોંધી મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ હતી. જે ફરીયાદ અત્રેના પોલીસ મથકે નોંધીને તાલુકા પીઆઈ દ્વારા ગુનામાં સંડોવાયેલ એમપીના બે સગા ભાઈઓની ધરપકડ કરવામાં આવેલ છે.

 મોરબી તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે જેતપર રોડ પાવડીયારી પાસેના કારખાનાના લેબર કવાટરમાં રહીને મજુરીકામ કરતા એમપીના પરીવારની પરણીતાનું થોડા સમય પહેલા અપહરણ કરીને એમપી ખાતે લઈ જવામાં આવેલ અને તેણી સાથે દુષ્કર્મ થયેલ જે બાબતે ભોગ બનનારે ઘરે જણાવતા ભોગ બનનારની માતાએ એમપી પોલીસમાં ફરીયાદ કરી હતી. ત્યાં ઝીરો નંબરથી ગુનો દાખલ કરી મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી.જેથી તાલુકા પીઆઈ એસ.કે. ચારેલ તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી. ગત તા.15-8ના રોજ નોંધાયેલ ફરીયાદમાં હાલ મોરબી તાલુકા પીઆઈએ દિપક ચુનીલાલ સૂર્યવંશી (26) અને અખીલેશ ચુનીલાલ સૂર્યવંશી (19) રહે. બંને વસંતપુરા ભીલખેડી જી. સાજાપુર મધ્યપ્રદેશની ઉપરોકત ગુનામાં અટકાયત કરેલ છે તેમ તાલુકા પોલીસ મથકના પીઆઈ ચારેલના રાયટર નારણભાઈ છૈયા દ્વારા જાણવા મળેલ છે. પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

મારામારીમાં ઈજા
 મોરબી રેલ્વે સ્ટેશન રોડ અમુલ ડેરી નજીક મારામારીમાં ઈજા થતા પ્રણવ ગોપાલગીરી ગૌસ્વામી (36) રહે. નાની વાવડીને સિવિલે સારવારમાં ખસેડાયો હતો. જયારે રવાપર ગામે ક્રિષ્ના સ્કુલ પાસે થયેલ મારામારીમાં ઈજા થતા ત્યાં રહેતા અજય દિલબહાદુર પઢીયાર (20) નામના યુવાનને સારવારમાં લઈ જવાયો હતો.

વાહન અકસ્માત
 અમરેલીના રાજુલાના વતની રામજીભાઈ વસંતભાઈ કોલ નામનો 28 વર્ષનો યુવાન મોરબીના નવલખી બાજુ જતો હતો ત્યારે વર્ષામેડી નજીક વાહન અકસ્માતે ઈજા થતા 108 વડે સારવારમાં અત્રેની સિવિલે લવાયો હતો. જયારે વાંકાનેરના કોટડા નાયાણી ગામના વસંતબા મહેન્દ્રસિંહ જાડેજા નામના 61 વર્ષના વૃધ્ધ બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે ગામમાં બાઈક પાછળથી પડી જતા ઈજા થતા અત્રેની ખાનગી સાગર હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા






Latest News