ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

ટંકારા-લતીપર રોડ પર આજી નદી પરના મેજરબ્રિજ પર મરામતની કામગીરી કરવાની હોય ભારે વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ


SHARE











ટંકારા-લતીપર રોડ પર આજી નદી પરના મેજરબ્રિજ પર મરામતની કામગીરી કરવાની હોય ભારે વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ

મોરબી માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ટંકારા તાલુકામાં આવેલ લતીપર સાવડી રોડ પર આજી નદી પર આવેલ મેજરબ્રિજ પર મરામતની કામગીરી હાથ ધરવાની હોવાથી આ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારે ટ્રક કે અન્ય ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મૂકવા મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અન્વયે જામનગર થી આવતા વાહનો ધ્રોલ થી પડધરી, મીતાણા, ટંકારા થઈને મોરબી આવી શકશે તથા ધ્રોલ થી NHAI ના ચારમાર્ગીય રસ્તાથી પીપળીયા ચોકડીથી મોરબી અને કચ્છ જઈ શકશે. કચ્છથી આવતા વાહનો મોરબી બાયપાસ થી પીપળીયા ચોકડી થી NHAI ના ચારમાર્ગીય રસ્તાથી આમરણ ધ્રોલ થઈને જઈ શકશે તથા મોરબી થી મીતાણા, પડધરી થઈને ધ્રોલ, જામનગર જઈ શકશે. જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીએથી પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઈઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.






Latest News