મોરબી જીલ્લામાં બોગસ દસ્તાવેજી પુરાવા ઊભા કરીને મહિલાને ખોટી રીતે ખેડૂત ખાતેદાર બનાવનાર વૃદ્ધના આગોતરા જામીન નામંજૂર મોરબીમાં સૌપ્રથમ વખત પેન ફેશિયલ ફ્રેક્ચર માટે ચહેરાની જટીલ પ્લાસ્ટિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી વાંકાનેરમાં રાજ્યસભા સાંસદ દ્વારા ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું આયોજન માંડવીનાં રમણીય બીચ ઉપર સાંસદ સહીતનાઓ દ્રારા યોગ દિવસની ઉજવણી ગાંધીનગર ચિલ્ડ્રન્સ રીસર્ચ યુનિવર્સિટીનું તારણ, બાળકોની તંદુરસ્તીને હવા, સૂર્ય પ્રકાશ, યોગ અને કસરત ખુબ જ અસરકર્તા મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન: માર્કશીટો મંગાવવામાં આવી મોરબીમાં શનાળા રોડે ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે માથાકૂટ કરી ટીશર્ટ ફાડી નાખ્યું મોરબીના પીપળી ગામ પાસેની સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓના ફાંફા: મહિલાઓએ કર્યો હોબાળો
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદર ગામે કુદરતી હાજતે ગયેલ વૃદ્ધનું કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE















વાંકાનેરના સિંધાવદર ગામે કુદરતી હાજતે ગયેલ વૃદ્ધનું કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોત

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ પાસે કાસમપરામાં પાણીની કેનાલ પાસે વૃદ્ધ કુદરતી હાજતે ગયા હતા અને અકસ્માતે તેઓ કેનાલમાં પડી જતા કેનાલમાં વરસાદી પાણી ભરેલ હોય તેમાં ડૂબી જવાના કારણે વૃદ્ધનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલ લાવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવરન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના સિંધાવદર ગામે કાસમપરામાં રહેતા આહમદભાઇ હૈયાતભાઇ પરાસરા (66) નામના વૃદ્ધ કેનાલ પાસે કુદરતી હાજતે ગયા હતા અને અકસ્માતે કેનાલમાં પડી ગયા હતા ત્યારે કેનાલમાં વરસાદી પાણી ભરેલ હોવાથી તે પાણીમાં ડૂબી જવાના કારણે વૃદ્ધનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મકસુદભાઇ મહમદભાઇ પરાસરા (35) રહે. કાસમપરા સિંધાવદર વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સારવારમાં

મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહેતા રીનાબેન જયેશભાઈ (30) નામની મહિલાને ઘરે હતી ત્યારે ત્યાં ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી છે

વૃધ્ધ સારવારમાં

મોરબીના બગથળા ગામે રહેતા કાંતિભાઈ પ્રેમજીભાઈ વાંસડિયા (74) નામના વૃદ્ધ નિત્યાનંદ સોસાયટી રાજનગર પાસે બાઈકમાંથી પડી ગયા હતા જેથી તેને ઈજા થઈ હોવાથી તેઓને સારવાર માટે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી આવી જ રીતે મોરબીમાં રોયલ પાર્ક ખાતે રહેતા હરેશભાઈ શંકરભાઈ ચાવડા નામના વ્યક્તિનું બાઇક બેલ ગામ નજીક સ્લીપ થઈ ગયું હતું જેથી તેઓને ઇજા થતાં સારવારમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવેલ છે. 






Latest News