મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી
Breaking news
Morbi Today

મોરબી રાજકોટ હાઇવે ઉપર ઓવરબ્રિજના સર્વિસ રોડ શનિવાર સુધીમાં ટકાટક ન થાય તો ચકકજામ: ભૂપત ગોધાણી


SHARE











મોરબી રાજકોટ હાઇવે ઉપર ઓવરબ્રિજના સર્વિસ રોડ શનિવાર સુધીમાં ટકાટક ન થાય તો ચકકજામ: ભૂપત ગોધાણી

રાજકોટ મોરબી કરછ વાકાનેર જામનગર જીલ્લાને જોડતો મુખ્ય રસ્તો ટંકારાથી પ્રસાર થાય છે અને ત્યાં લગભગ ચારેક વર્ષથી રસ્તાને ચાર માર્ગીય કરવાનું કામ ચાલુ છે જેમા નાના મોત આ અકસ્માતોના લીધે અનેક નિર્દોષના જીવ પણ ગયા છે ત્યારે મોરબી રાજકોટ રોડ ઉપર મિતાણા પાસે ઓવરબ્રિજનો સર્વિસ રોડ ઉપર ડામર નહિ પથરવામાં આવે તો હાઈવે બ્લોક કરવાની ચીમકી જીલ્લા પંચાયતના સદસ્ય ભુપત ગોધાણીએ ઉચ્ચારી હતી ત્યારે ત્યાના ઈજનેરે બે દિવસમાં મોરબી બાયપાસ ટંકારા ચોકડી અને મિતાણા ચોકડીના સર્વિસ રોડ રીપેર થઇ જશે તેવી ખાતરી આપી હતી

મિતાણા ચોકડીએ ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર વાહના પલટી મારી ગયું હતું જેથી કરીને રવિવારે પાંચ કલાક સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો અને હજારો વાહનો ફસાઈ ગયા હતા ત્યારે જીલ્લા પંચાયતના સદસ્ય ભુપત ગોધાણીએ શનિવાર સુધી ટંકારા અને મિતાણા સર્વિસ રોડ સડસડાટ ચાલે એવુ કરવા સુચના આપી છે અને જો કામ નહી થાય તો હાઈવે પર ચક્કાજામ કરી દેવાની ધમકી આપી છે જેથી કરીને આ કામના ઈન્ચાર્જ રીટાર્યડ ઈન્જીનયર બાસિદા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મિતાણા ડાબી બાજુ જમીન સંપાદન મામલો બિચક્યો છે અને ત્યા સુધી જમણી બાજુ પર વાહન ડ્રાયવર્ટ કરાયા છે પરંતુ બે ત્રણ દિવસમાં રાજકોટ મોરબી રોડ પરના ત્રણેય ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર પેચવર્ક કરી દેવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે જે જમીન સંપાદનની વાત બાસિદા કરે છે એ કાગળો કલેકટર પાસે હોવાનું જાણવા મળ્યું છે અને રાજકીય જોરે સંપાદનમા રોળા નખાઈ રહ્યાનુ આધિકારિક સૂત્રોએ જણાવ્યું છે પરંતુ આ અંગે હવે વિદ્યાર્થી એકતા સંગઠન મેદાને પડ્યુ છે અને એડવોકેટ રાખીને ન્યાય તંત્રના દ્વારા ખખડાવાની તૈયારી કરવામાં આવી રહી છે






Latest News