તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરના જમાતખાના પાસેથી તને હવા છે કહીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE











વાંકાનેરના જમાતખાના પાસેથી તને હવા છે કહીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેરમાં જમાતખાના પાસેથી યુવાન રિક્ષામાં બેસવા જતો હતો ત્યારે અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો અને છરીનો એક ઘા હાથમાં ઝીકવામાં આવ્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાનને સારવાર લીધા બાદ હાલમાં ત્રણ શખ્સોની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના કુંભારપરામાં ભઠ્ઠી વિસ્તારની અંદર રહેતા મોસીનભાઈ સિકંદરભાઈ શાહમદાર જાતે ફકીર (ઉંમર ૨૩) એ હાલમાં સાજીદભાઈ રૂસ્તમાભાઈ,  રૂસ્તમાભાઈ, તેમજ ડાડલી રહે. બધા જ વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે જમાતખાના પાસેથી તે પરીક્ષામાં બેસવા માટે જતા હતા ત્યારે સાજીદભાઈ રૂસ્તમાભાઈ તેની પાસે આવ્યો હતો અને અગાઉ થયેલ બોલાચાલી અને ઝઘડાનો ખાર રાખીને તને હવા છે તેવું કહીને તેની સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ ગાળો આપી હતી અને પોતાના હાથમાં રહેલ છરી વડે તેને જમણા હાથની કોણી નીચેના ભાગમાં ઘા ઝીકયો હતો અને મોઢા ઉપર છરીનો ઊંધો ઘા માર્યો હતો તેમજ રૂસ્તમાભાઈએ તેની પાસે રહેલ લાકડી વડે તેને માર માર્યો હતો અને તેની સાથે રહેલ ડાડલીએ પણ તેને માર માર્યો હતો અને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી મોસીન શાહમદારએ સારવાર લીધા બાદ હાલમાં ત્રણેય શખ્સોની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે






Latest News