મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીમાં રેશનિગની દુકાનો અનિયમીત ખુલતી હોવાથી ગ્રાહકોને ભારે મુશ્કેલી: કલેક્ટરને રજૂઆત


SHARE











મોરબીમાં રેશનિગની દુકાનો અનિયમીત ખુલતી હોવાથી ગ્રાહકોને ભારે મુશ્કેલી: કલેક્ટરને રજૂઆત

મોરબી જીલ્લામાં તાજેતરમાં પુરવઠા વિભાગમાં નવા અધિકારી મૂકવામાં આવ્યા છે ત્યારે તાલુકા તથા જીલ્લાના ધણા પ્રશ્નો વણઉકેલાયેલા રહ્યા છે. જેવા કે મોરબી સીટીમાં રાશનકાર્ડની ધણી દુકાનો ધણા સમયથી ચાર્જમાં ચાલે છે તેનું વહેલી તકે જાહેરનામું બહાર પાડવું જોઇએ જેથી કોઇ પરીવારને તેનો લાભ મળેદુકાનો અનિયમીત ખુલે છે અને સરકારની સુચના મુજબ કાર્ડધારકોને કયા ગ્રાહકને કેટલો અનાજનો જથ્થો મળે તેનું બોર્ડ મુકવું જોઇએ તે ધણી દુકાનો જોવા મળતુ નથી અને રાશનકાર્ડધારકોને બીલ પણ આપતા નથી અને બીલ કરતા પાંચ રૂપીયા કાર્ડ દીઠ વધારે લેવામાં આવે છે.

સરકારએ વન રેશન યોજના દાખલ કરેલ કે રાશનકાર્ડ ધારક કોઇપણ દુકાનેથી પોતાનું રાશન કાર્ડ વડે રાસન લઇ શકે જેને પોર્ટેબેલીટી તરીકે ઓળખવામાં આવે છે તેનો કોઇ ચાર્જ થતો નથી. સરકારએ દુકાનદારને દર સોમવારે રજા રાખેલ છે પરંતુ ઘણા દુકાનદારો પોતાની મરજી મુજબ રજા રાખે છે..! જેથી પ્રજા હેરાન થાય છે. અને દુકાનદારો પોતાની મરજી મુજબ વર્તન કરે છે અને કેટલાક દુકાનોરો તોલ માપમાં ગોલમાલ કરે છે અને પ્રજાને ઓછુ તોલીને વજનમાં અનાજ ઓછુ આપે છે.

તો ગરીબ પરીવારનો પુરતુ અને સમયસર અનાજ મળે તેવી સામાજીક કાર્યકરો રાજુભાઇ દવેજીજ્ઞેશભાઇ પંડયાઅશોક ખરચરીયાજગદીશભાઇ બાંભણીયામુસાભાઇ બ્લોચે આમ જનતાવતી રજુઆત કરી છે અને પગલા લેવાય તેવી માંગણી કરેલ છે. સરકાર કરોડો રૂપિયા ગરીબ પ્રજા પાછળ ખર્ચ કરે છે પરંતુ અધિકારીઓની અણઆવડત કે બેદરકારી કયાંકને કયાંક કારણભુત હોય તેવું જણાય છે. આવા દુકાનદારો સામે પુરવઠા અધિકારી દ્રારા કડક હાથે કામ લેવાય તે જરૂરી છે તેવી માંગણી છે. 






Latest News