માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

ટંકારાનું નવું બસ સ્ટેન્ડ શનિવારે લોકાર્પણ કરાશે


SHARE











ટંકારાનું નવું બસ સ્ટેન્ડ શનિવારે લોકાર્પણ કરાશે

મોરબી જિલ્લાના ટંકારામાં છેલ્લા ઘણા વર્ષોથી બસ સ્ટેન્ડ ન હતું જે બસ સ્ટેન્ડ બનાવવા માટેની કામગીરી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી અને ૧.૬૬ કરોડ રૂપિયાના ખર્ચે નવું બસ સ્ટેન્ડ તૈયાર કરી દેવામાં આવી છે અને આગામી શનિવારના રોજ રાજ્યના વાહન વ્યવહાર વિભાગના મંત્રી દ્વારા આ બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે

સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારામાં છેલ્લા ઘણા વર્ષોથી બસ સ્ટેન્ડ  હોવાથી બસ સ્ટેન્ડ બનાવવા માટેની રજૂઆતો કરવામાં આવી હતી અને હાલમાં સરકાર દ્વારા ૧.૬૬ કરોડ રૂપિયાના ખર્ચે ટંકારામાં મોરબી રાજકોટ હાઇવે ઉપર ઓવર બ્રિજ બનાવવા માટેનું કામ ચળું છે ત્યાં નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે જેમાં તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે અને ખાસ કરીને ત્યાં મુસાફરોને બેસવા માટે, શોચલય સહિતની સુવિધા આપવામાં આવી છે અને આ નવા બસ સ્ટેન્ડનું આગામી શનિવારના રોજ રાજ્યના વાહન વ્યવહાર વિભાગના મંત્રીના હસ્તે ઓનલાઈન લોકાર્પણ કરવામાં આવશે




Latest News