માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામે પરિણીતાએ વાડીએ ઝેરી દવા પી લેતા રાજકોટ સારવારમાં ખસેડાઇ


SHARE











ટંકારાના નેકનામ ગામે પરિણીતાએ વાડીએ ઝેરી દવા પી લેતા રાજકોટ સારવારમાં ખસેડાઇ

ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારની મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રથમ પડધરી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના નેકનામ ગામે પૃથ્વીસિંહ દરબારની વાડીએ રહેતાં જીવણભાઈ વસુનિયા જાતે આદિવાસીના પત્ની રૂખાબેન (ઉમર ૨૫) એ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે પડધરી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરિણીતાએ ઝેરી દવા પી લીધા બાદ તેના પતિ હોસ્પિટલે સારવાર માટે લઇને આવ્યા હતા અને પરિણીતાનો લગ્નગાળો ત્રણ વર્ષનો છે તેને સંતાન નથી તેવું હાલમાં જાણવા મળેલ છે જોકે પરિણીતાએ કયા કારણોસર ઝેરી દવા પીધી છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે

યુવાન ગુમ

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની શેરી નંબર-૧૮ માં રહેતા અશ્વિનભાઈ વશરામભાઈ વિરમગામા જાતે પટેલ (ઉંમર ૩૪) પોતાની રૂમેથી કોઈને કશું કહ્યા વગર નીકળી ગયેલ છે અને હાલ આ યુવાન ગુમ થયેલા હોવાથી તેના નાના ભાઈ જીગ્નેશભાઈ વશરામભાઈ વિરમગામા (૩૨)એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાનો ભાઈ ગુમ થયો હોવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસુદા ફરિયાદ લઈને યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરે છે




Latest News