માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણાથી પડધરી જવાનો બિસ્માર રસ્તો રીપેર નહીં કરવામાં આવતા લોકોમાં ભારે રોષ


SHARE











ટંકારાના મિતાણાથી પડધરી જવાનો બિસ્માર રસ્તો રીપેર નહીં કરવામાં આવતા લોકોમાં ભારે રોષ

મોરબી જિલ્લાના મુખ્યમથકોએથી  ગ્રામ્ય વિસ્તારને જોડતાં રોડ રસ્તા છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે તેમ છતાં પણ સરકારી ગ્રાન્ટ આવતી ન હોય કે પછી આવી ગહોવા છતાં પણ કોઈ કારણોસર રોડ રસ્તા બનાવવામાં આવતા નથી જેથી કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા લોકોને આ બિસ્માર રોડ રસ્તા ઉપરથી નાછૂટકે પસાર થવું પડે છે જેથી તેને શારીરિક તેમજ વાહન નુકસાની સહન થતી હોય છે તે સહન કરવી પડતી હોય છે આ અંગે અવારનવાર જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો દ્વારા તૂટી ગયેલા રોડ રસ્તા રીપેર કરવા માટે થઈને રજૂઆતો કરવામાં આવતી હોય છે જોકે, તેને ધ્યાને લઇને નક્કર કામગીરી ન કરવામાં આવતી હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે આવી જ રીતે ટંકારા તાલુકાના મિતાણા ગામથી પડધરી તરફ જવાના રસ્તો ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે જેથી કરીને આ મુદ્દે સ્થાનિક લોકો દ્વારા એક નહીં પણ અનેક વખત રજુઆત કરવામાં આવી છે પરંતુ આજની તારીખે આ બિસ્માર રોડને રીપેર કરવામાં આવેલ નથી જેથી લોકોને નાછૂટકે તૂટી ગયેલા ભંગાર રસ્તા ઉપરથી અવરજવર કરવી પડતી હોય છે વધુમાં ગ્રામજનોના કહેવા પ્રમાણે આ રસ્તા ઉપરથી ૧૦૮ કે  એમ્બ્યુલન્સને લઈને જવું પણ મુશ્કેલ બની જતું હોય છે અને ખાસ કરીને સગર્ભા મહિલાઓને એમ્બ્યુલન્સ કે ખાનગી વાહન લઇને જતા હોય ત્યારે મુશ્કેલી થતી હોય છે તેમ છતાં પણ જવાબદાર અધિકારી કે પદાધિકારીઓ દ્વારા આ બિસ્માર રોડ રીપેર કરવા માટે નક્કર કામ કરવામાં આવતું નથી જેથી કરીને ગ્રામજનોમાં અધિકારી અને પદાધિકારી સામે ભારોભાર રોષની લાગણી ફેલાઇ છે 




Latest News