મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણાથી પડધરી જવાનો બિસ્માર રસ્તો રીપેર નહીં કરવામાં આવતા લોકોમાં ભારે રોષ


SHARE











ટંકારાના મિતાણાથી પડધરી જવાનો બિસ્માર રસ્તો રીપેર નહીં કરવામાં આવતા લોકોમાં ભારે રોષ

મોરબી જિલ્લાના મુખ્યમથકોએથી  ગ્રામ્ય વિસ્તારને જોડતાં રોડ રસ્તા છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે તેમ છતાં પણ સરકારી ગ્રાન્ટ આવતી ન હોય કે પછી આવી ગહોવા છતાં પણ કોઈ કારણોસર રોડ રસ્તા બનાવવામાં આવતા નથી જેથી કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા લોકોને આ બિસ્માર રોડ રસ્તા ઉપરથી નાછૂટકે પસાર થવું પડે છે જેથી તેને શારીરિક તેમજ વાહન નુકસાની સહન થતી હોય છે તે સહન કરવી પડતી હોય છે આ અંગે અવારનવાર જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો દ્વારા તૂટી ગયેલા રોડ રસ્તા રીપેર કરવા માટે થઈને રજૂઆતો કરવામાં આવતી હોય છે જોકે, તેને ધ્યાને લઇને નક્કર કામગીરી ન કરવામાં આવતી હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે આવી જ રીતે ટંકારા તાલુકાના મિતાણા ગામથી પડધરી તરફ જવાના રસ્તો ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે જેથી કરીને આ મુદ્દે સ્થાનિક લોકો દ્વારા એક નહીં પણ અનેક વખત રજુઆત કરવામાં આવી છે પરંતુ આજની તારીખે આ બિસ્માર રોડને રીપેર કરવામાં આવેલ નથી જેથી લોકોને નાછૂટકે તૂટી ગયેલા ભંગાર રસ્તા ઉપરથી અવરજવર કરવી પડતી હોય છે વધુમાં ગ્રામજનોના કહેવા પ્રમાણે આ રસ્તા ઉપરથી ૧૦૮ કે  એમ્બ્યુલન્સને લઈને જવું પણ મુશ્કેલ બની જતું હોય છે અને ખાસ કરીને સગર્ભા મહિલાઓને એમ્બ્યુલન્સ કે ખાનગી વાહન લઇને જતા હોય ત્યારે મુશ્કેલી થતી હોય છે તેમ છતાં પણ જવાબદાર અધિકારી કે પદાધિકારીઓ દ્વારા આ બિસ્માર રોડ રીપેર કરવા માટે નક્કર કામ કરવામાં આવતું નથી જેથી કરીને ગ્રામજનોમાં અધિકારી અને પદાધિકારી સામે ભારોભાર રોષની લાગણી ફેલાઇ છે 






Latest News