મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો ! મોરબી જિલ્લો ધો. 10 માં 89.13 ટકા પરિણામ સાથે ત્રીજા ક્રમે: એ-1 ગ્રેડના 1139 વિદ્યાથીઓનો સમાવેશ
Breaking news
Morbi Today

વિકસિત ભારત !: મોરબીના જુદાજુદા વિસ્તારમાં રંગબેરંગી-દુર્ગંધ યુક્ત પાણીનું મહાપાલિકા દ્વારા વિતરણ, લોકોના આરોગ્ય સાથે ચેડા


SHARE













વિકસિત ભારત !: મોરબીના જુદાજુદા વિસ્તારમાં રંગબેરંગી-દુર્ગંધ યુક્ત પાણીનું મહાપાલિકા દ્વારા વિતરણ, લોકોના આરોગ્ય સાથે ચેડા

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાણીનું વિતરણ કરવામાં આવે છે જો કે, શહેરના જુદાજુદા વિસ્તારમાં રંગબેરંગી અને દુર્ગંધ યુક્ત પાણી પાઇપ લાઇન મારફતે આપવામાં આવે છે જેથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોય તેવો ઘાટ સર્જાયો છે અને આગામી દિવસોમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી લોકોને દહેશત છે.

મોરબીમાં આવેલધીરવાસ વિસ્તારમા છેલ્લા ઘણા દિવસોથી મહાપાલિકા દ્વારા પીળા રંગના દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જયારે મોરબી મહાપાલિકાની પાછળના ભાગમાં આવેલ વસંત પ્લોટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની જગ્યાએ ભૂગર્ભ ગટરના પાણી જેવુ કાળ કલરનું પાણી આપવામાં આવી રહ્યું છે. આમ જુદાજુદા વિસ્તારમાં મહાપાલિકા દ્વારા દૂષિત અને દુર્ગંધ યુક્ત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને સ્થાનિક લોકોમાં પાણીજન્ય રોગચાળો ફેલવાની દહેશત જોવા મળી રહી છે. ઉલેખનીય છે કે, વસંત પ્લોટ વિસ્તારના રહીશો દ્વારા અનેક વખત આ બાબતે મહાપાલિકામાં લેખીત તેમજ મૌખિક રજુઆત કરવામાં આવી છે તો પણ મહાપાલિકા દ્વારા ગંદા પાણીની જગ્યાએ લોકોને શુદ્ધ પાણી મળે તેના માટેની લેશમાત્ર કામગીરી કરવામાં આવેલ નથી તેવું સ્થાનિકો કહી રહ્યા છે. હાલમાં માર્ચ એંડિંગ હોવાની લોકો પાસે વેરો ઉઘરાવવા માટે મહાપાલિકાના અધિકારીઓએ ધોકો પછાડી રહ્યા છે અને વેરો ન ભારે તો આસામી સામે કાર્યવાહી કરવામાં આવે છે તો નિયમિત રીતે વેરો ભરતા આસામીઓના ઘરે મહાપાલિકા દ્વારા રંગબેરંગી અને દુર્ગંધ યુક્ત પાણી તેમજ ભૂગર્ભ ગટરના પાણી જેવું પાણી આપવામાં આવે છે તો મહાપાલિકાના કમિશનર દ્વારા કેમ તેના બેદરકાર સ્ટાફ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તે તપાસનો વિષય છે. અને જો હવે મહાપાલિકા દ્વારા લોકોને શુદ્ધ પાણી મળે તેના માટે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરી ગાંધીનર સુધી રજુઆત કરવામાં આવશે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.






Latest News