મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો ! મોરબી જિલ્લો ધો. 10 માં 89.13 ટકા પરિણામ સાથે ત્રીજા ક્રમે: એ-1 ગ્રેડના 1139 વિદ્યાથીઓનો સમાવેશ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે તૂટી પડો: રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની એસપી સહિતના અધિકારીઓને સ્પષ્ટ સૂચના


SHARE













મોરબી જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે તૂટી પડો: રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની એસપી સહિતના અધિકારીઓને સ્પષ્ટ સૂચના

રાજકોટ રેન્જ આઇજી તરીકે ચાર્જ સંભાળી લીધા બાદ આજે આઇજી નિર્લિપ્ત રાય મોરબી જિલ્લા એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં એસપી, ડીવાયએસપી, પીઆઇ સહિતના અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી અને તેમાં સ્પષ્ટ ભાષામાં મોરબી જિલ્લાની અંદર અસામાજિક પ્રવૃત્તિઓને કડક હાથે ડામવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે. તેવું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.

મોરબી જિલ્લામાં છેલ્લા વર્ષોની અંદર હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, લૂંટનો પ્રયાસ, મારામારી, ચોરી વગેરે જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ હોય અને રોજિંદી બની ગયો હોય તેવો ઘાટ મોરબી જિલ્લામાં જોવા મળી રહ્યો છે ત્યારે આજે મોરબી જિલ્લા એસપી કચેરી ખાતે રાજકોટના રેન્જ આઇ.જી મેરિફ્ટ રાય પહોંચી આતા અને ત્યાં તેઓએ મોરબી જિલ્લાના એસપી મુકેશકુમાર પટેલ ડીવાયએસપી જે.એમ.આલ, સમીર સારડા, વિરલ દલવાડી અને કે.પી. પરમાર તેમજ એલસીબી પીઆઇ, એસઓજી પીઆઈ, તેમજ મોરબી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઇ સાથે રેન્જ આઇજી નિર્લિપ્ત રાય ની એસપી કચેરીના સભાખંડમાં મીટીંગ યોજાઈ હતી જેમાં રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ ખાસ કરીને મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કાયદાની ચુસ્તપણે  જિલ્લામાં અમલવારી થાય તેના માટે સૂચના આપી હતી સાથોસાથ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે અસમાજિક તત્વો ઉપર તૂટી પડવા માટે પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે તેવું સૂત્ર પાસેથી જાણવા મળેલ છે. જોકે મોરબી જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા તત્વો સામે પોલીસ વિભાગ દ્વારા આગામી સમયમાં કેવા આકરા પગલાં લેવામાં આવે છે તે તો સમય જ બતાવશે.






Latest News