ભાજપ યુવા મોરચાના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે મોરબી જીલ્લાના સુખદેવભાઈ દેલવાણીયાની નિમણુંક
SHARE
ભાજપ યુવા મોરચાના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે મોરબી જીલ્લાના સુખદેવભાઈ દેલવાણીયાની નિમણુંક
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના યુવા મોરચા ની સંગઠનાત્મક નિમણુંકો કરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લામાંથી પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે સુખદેવભાઈ રમેશભાઈ દેલવાણીયાની નિમણુંક કરવામાં આવી છે.
હાલમાં મોરબીમા વકિલાતનો વ્યવસાય કરતા સુખદેવભાઈ રમેશભાઈ દેલવાણીયા વર્તમાન મા પ્રભારી કચ્છ જીલ્લા ભારતીય જનતા યુવા મોરચા જવાબદારી વહન કરી રહ્યા છે. તેઓ પુર્વમાં ABVP અખિલ ભારતીય વિધાર્થી પરિષદ મા ૨૦૦૮ થી ૨૦૧૫ સુધી મા અલગ અલગ જવાબદારીઓ વહન કરેલ હતી આ ઉપરાંત કેશવ ક્રેડિટ સોસાયટી મોરબી બ્રાન્ચ - ડિરેક્ટર ૨૦૨૧ થી ૨૦૨૩, પ્રભારી ગીર સોમનાથ જીલ્લા ભારતીય જનતા યુવા મોરચા જેવી અનેક જવાબદારીઓ વહન કરેલ છે. તેઓનો અભ્યાસ બી.કોમ,એમ.એસ.ડબલ્યુ,એલ.એલ.બી સુધીનો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આજે યુવા મોરચાના પ્રદેશ પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી હતી. યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. હેમાંગ જોષી દ્વારા કુલ ૨૧ પદાધિકારીઓની નિમણૂક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મોરબી જિલ્લાના સુખદેવ રમેશભાઈ દેલવાણીયાને પ્રદેશ ઉપાધ્યક્ષની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જેથી તેઓને ઠેરઠેરથી આવકાર મળી રહ્યો છે.