મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

ટંકારાના વિરપર ગામે અનાથ આશ્રમના બાળકોના હસ્તે ૮૦ લાખના વિકાસ કામોનું કર્યું ખાતમુહૂર્ત


SHARE











ટંકારાના વિરપર ગામે અનાથ આશ્રમના બાળકોના હસ્તે ૮૦ લાખના વિકાસ કામોનું કર્યું ખાતમુહૂર્ત

ટંકારા તાલુકાના વીરપર ગ્રામ પંચાયત દ્વારા ગામના વિકાસને નવી દિશા આપતા આશરે ૮૦ લાખના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતાએ હતી કે, આ વિકાસ કામોનું ખાતમુહૂર્ત બગાવડી ખાતે આવેલા વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે કરવામાં આવ્યું હતું, જે કામ કરવામાં આવશે તેમાં વીરપર ગ્રામ પંચાયત હસ્તક ગામની માળખાગત સુવિધાઓમાં વધારો થાય તેવા કામ લેવામાં આવેલ છે જેમાં પેવર બ્લોક નાંખવાના કામો, સી.સી. રોડ (કોન્ક્રીટ રોડ) બનાવવાનું કા, કમ્પાઉન્ડ વોલના બાંધકામ જેવા કામોનો સમાવેશ થાય છે. આ વિકાસ કામો પૂર્ણ થતાં વીરપર ગામની સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે આ તકે વીરપર ગામના સરપંચ મહેશભાઈ લીખિયા, ઉપસરપંચ તેમજ તમામ સભ્યો તેમજ અશોકભાઇ ચાવડા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. અને આ ગામની ખાતમુહૂર્ત પ્રસંગે કરવામાં આવેલ પહેલને સહુ કોઈએ બિરદાવી હતી.






Latest News