ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

ટંકારાના ડેમી–૧ ડેમના તૂટી ગયેલ ગેઈટ રીપેર કરવા અને સૌની યોજના સાથે જોડવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











ટંકારાના ડેમી૧ ડેમના તૂટી ગયેલ ગેઈટ રીપેર કરવા અને સૌની યોજના સાથે જોડવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીના જીલ્લાના ટંકારા તાલુકામાં આવેલા ડેમી૧ ડેમના ગેઈટ તૂટી ગયેલ છે તેને રીપેર કરવામાં આવે અથવાતો ત્યાં સિમેન્ટ કોંકરેટની દીવાલ કરીને પાણીનો સ્ટોરેજ વધે તેવું કામ કરવાની માંગ કરેલ છે તેમજ ડેમી-૧ ડેમને સૌની યોજના સાથે જોડવામાં આવે અને તેમાં નર્મદાનું પાણી નાખવામાં આવે તેવી  આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના જોઈન્ટ સેક્રેટરીએ મુખ્ય મંત્રીને રજૂઆત કરેલ છે.

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવામુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે આવેલ ડેમી૧ સિંચાઈ યોજનાનો ડેમ આવેલ છે. આ ડેમ ઉપર નાખવામાં આવેલ ગેઇટ છેલ્લા ત્રણ વર્ષથી તૂટી ગયેલ છે. આ ગેઇટ હજુ સુધી રીપેર કરવામાં આવેલ નથી. જેથી કરીને ગેઇટની હયાતી હોય તો ડેમમાં પાણીનો સ્ટોરેજ વધારે થઇ શકે છે અને તેનો લાભ કમાંડ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ પાણી માટે મળે છે જેથી તૂટી ગયેલ ગેઇટને તાત્કાલિક રીપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે. ઉલેખનીય છે કે, આ બાબતે ખેડૂતો દ્વારા અવાર નવાર રજુઆતો કરવામાં આવેલ છે તો પણ હજુ સુધી કોઈ જાતનું કામ કરવામાં આવ્યું નથી. જેથી કરીને આગામી ચોમાસા પહેલા ગેઇટની જગ્યાએ સિમેન્ટ કોન્ક્રીટથી દીવાલ બનાવીને ડેમને તેટલો ઉચો બનાવવામાં આવે અથવા તો તૂટે નહીં તેવા સારા ગેઇટ નાખવામાં આવે તેવી તેવી રજૂઆત કરેલ છે. આ ઉપરંત જેમ ડેમી-૨ ને નર્મદાની સૌની યોજનાની પાઈપ લાઈનથી ભરવાની જોગવાઈ કરેલ છે તેમજ ડેમી-૧ ને પણ સૌની યોજના સાથે જોડવામાં આવે તેવી માંગ કરેલ છે. અને જો તેઓની રજૂઆતને ધ્યાને લઈને કામ નહીં કરવામાં આવે તો સ્થાનિક ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે અંદોલનાંત્મક કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News