ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

અયોધ્યામાં રામ મંદિર ઉપર ધર્મ ધ્વજા લહેરાતા મોરબીમાં હિન્દુ સંગઠનો દ્વારા કરાઇ આતિશબાજી


SHARE











અયોધ્યામાં રામ મંદિર ઉપર ધર્મ ધ્વજા લહેરાતા મોરબીમાં હિન્દુ સંગઠનો દ્વારા કરાઇ આતિશબાજી

મોરબીના નગરદરવાજા ચોકમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા આતિશબાજી કરીને અયોધ્યામાં રામ મંદિર ઉપર ધર્મ ધ્વજા લહેરાવવામાં આવી તેની ઉજવણી કરવામાં આવી હતી અને આ ધર્મ ધ્વજા ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા માટેનું પ્રથમ પગલું છે. તેવું ત્યાં હાજર રહેલા આગેવાનો કહ્યું હતું.

અયોધ્યા ખાતે રામજન્મભૂમિ તીર્થક્ષેત્રમાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના શિખર ઉપર ધર્મ ધ્વજા તા. 25/11/25 ના રોજ લહેરાવવામાં આવી રહી હતી. આ ધર્મ ધ્વજા ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા માટેનું પ્રથમ પગલું છે. અને રામ મંદિરના 500 વર્ષ જૂના ઇતિહાસ પછી જ્યારે ભવ્ય રામ મંદિર નિર્માણનું કાર્ય પૂર્ણ થઈ ગયુ છે અને મંદિર ઉપર ધર્મ ધ્વજા લહેરવામાં આવેલ છે. ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે તા. 26/11 ને બુધવારના રોજ મોરબીમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા નગરદરવાજા ચોકમાં એક કલાક સુધી ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી આટલું જ નહીં પરંતુ એક મેકના મોઢા મીઠા કરાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબીની હિન્દુ ધર્મપ્રેમી જનતા સહિતના લોકો જોડાયા હતા.






Latest News