ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી-ગુજરાતનુ ગૌરવ: નિલેષભાઈ જેતપરિયાની કેપેક્સીલની પેનલના ચેરમેન તરીકે બિનહરીફ વરણી


SHARE











મોરબી-ગુજરાતનુ ગૌરવ: નિલેષભાઈ જેતપરિયાની કેપેક્સીલની પેનલના ચેરમેન તરીકે બિનહરીફ વરણી

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા નિલેષભાઈ જેતપરિયાની તાજેતરમાં કેપેક્સીલની પેનલના ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવેલ છે જેથી કરીને તેઓને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે.

મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસો.ના પૂર્વ પ્રમુખ નિલેષભાઇ જેતપરીયાએ હાલમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. અને તેઓ ગુજરાતમાંથી એવા સૌપ્રથમ વ્યક્તિ બન્યા છે કે, જેઓ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના કેપેક્સીલમાં સિરામિક અને રિફ્રેક્ટરીઝ પેનલના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા છે. આ સફળતા બદલ તેઓને મોરબીના સિરામિક ઉદ્યોગકારો સહિતનાઓ તરફથી શુભકામનાઓ મળી રહી છે. ઉલેખનીય છે કે, તેઓ મોરબી સિરામિક એસો.ના પ્રમુખ પદ ઉપર હતા ત્યારે સિરામીક ઉધોગના વિકાસ માટે અનેક સારી કામગીરી તેઓના દ્વારા કરવામાં આવી હતી. અને આગામી સમયમાં પણ તેઓ સિરામિક ઉદ્યોગના હિતમાં વધુ સારી કામગીરી કરશે તેવું મોરબીના યુવા ઉદ્યોગપતિ નરેન્દ્રભાઈ સંઘાતે માહિતી આપતા જણાવ્યુ છે.






Latest News