ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત


SHARE







મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત

મોરબીના બંધુનગર ગામ પાસે ચક્કર આવતા યુવાન નાલામાં પડી ગયો હતો જેથી કરીને યુવાનનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસે અકસ્માત બનાવ બન્યો હતો જેમાં ચક્કર આવતા નાલામાં પડી જવાથી મેરૂભાઈ માનસિંગભાઈ સાદલીયા (૩૮) રહે.ખારાઘોડા તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગરનું મોત નીપજયું હતું.જેથી તેના ડેડબોડીને અત્રેની સિવિલએ લાવવામાં આવ્યું હતું.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા

મોરબીના જૂના નાગડાવાસ ગામે રહેતા વિશાલભાઈ ગગુભાઈ બરારીયા નામના ૩૦ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તે બાઈક લઈને નીકળ્યો હતો ત્યારે ગામ નજીક અજાણ્યા કાર ચાલકે તેને હડફેટ લેતા ઇજા પામેલ વિશાલભાઈ  બરારીયાને સારવાર માટે લઈ જવાયો હતો.

અકસ્માતમાં ઇજા

મોરબી કુબેરનગર પાસે રોડ ઉપર અકસ્માત બનાવ બન્યો હતો જે બનાવમાં રાહુલ જગદીશભાઈ ચાવડા (૨૬) રહે. રણછોડનગર મોરબીને ઇજા થયેલ હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેમ એ ડિવિઝન પોલીસે જણાવેલ છે.






Latest News