મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત
SHARE
મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત
મોરબીના બંધુનગર ગામ પાસે ચક્કર આવતા યુવાન નાલામાં પડી ગયો હતો જેથી કરીને યુવાનનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસે અકસ્માત બનાવ બન્યો હતો જેમાં ચક્કર આવતા નાલામાં પડી જવાથી મેરૂભાઈ માનસિંગભાઈ સાદલીયા (૩૮) રહે.ખારાઘોડા તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગરનું મોત નીપજયું હતું.જેથી તેના ડેડબોડીને અત્રેની સિવિલએ લાવવામાં આવ્યું હતું.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.
અકસ્માતમાં ઇજા
મોરબીના જૂના નાગડાવાસ ગામે રહેતા વિશાલભાઈ ગગુભાઈ બરારીયા નામના ૩૦ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તે બાઈક લઈને નીકળ્યો હતો ત્યારે ગામ નજીક અજાણ્યા કાર ચાલકે તેને હડફેટ લેતા ઇજા પામેલ વિશાલભાઈ બરારીયાને સારવાર માટે લઈ જવાયો હતો.
અકસ્માતમાં ઇજા
મોરબી કુબેરનગર પાસે રોડ ઉપર અકસ્માત બનાવ બન્યો હતો જે બનાવમાં રાહુલ જગદીશભાઈ ચાવડા (૨૬) રહે. રણછોડનગર મોરબીને ઇજા થયેલ હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેમ એ ડિવિઝન પોલીસે જણાવેલ છે.









