વાંકાનેરના મેસરિયા ગામે ઘરે સુતેલા યુવાનને ઝેરી જનાવર કરડી જતાં સારવાર મળે તે પહેલ જ મોત
SHARE
વાંકાનેરના મેસરિયા ગામે ઘરે સુતેલા યુવાનને ઝેરી જનાવર કરડી જતાં સારવાર મળે તે પહેલ જ મોત
વાંકાનેરના મેસરિયા ગામે ઘરે સુતેલા યુવાનને ડાબા કાન પાસે કોઈ ઝેરી જનાવર રાત્રિના સમયે કરડી ગયું હતું જેથી તે યુવાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા જોકે ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે અનિલભાઈના મકાનમાં રહેતા મૂળ યુપીના રહેવાસી હૈદરઅલી શ્યામુદ્દીન ચૌધરી (38)ને રાત્રિના અઢી વાગ્યાના અરસામાં ઘરે સુતો હતો ત્યારે કાન પાસે કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તે યુવાનને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
અકસ્માતમાં ઇજા
મોરબીની નીલકંઠ સોસાયટીમાં રહેતો રાજુભાઈ હંસરાજભાઈ (48) નામનો યુવાન બાઈક લઈને મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી પસાર થતો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરી છે.
મારા મારીમાં ઇજા
મોરબીના શોભેશ્વર રોડ ઉપર રહેતા પરમજીત નાગેશ્વર દાસ (36) નામના યુવાનને ઇરોજ સીરામીકમાં મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હત