ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાનહરિહર ધામ ખાતે શુક્રવારથી પાંચ દિવસીય વિષ્ણુ મહાયજ્ઞનો પ્રારંભ: સંતવાણી-ભજન સંધ્યાનું પણ આયોજન


SHARE











મોરબીના ખોખરા હનુમાનહરિહર ધામ ખાતે શુક્રવારથી પાંચ દિવસીય વિષ્ણુ મહાયજ્ઞનો પ્રારંભ: સંતવાણી-ભજન સંધ્યાનું પણ આયોજન

મોરબીના બેલા ગામ નજીક આવેલ શ્રી ખોખરા હનુમાન મંદિરે મહાયજ્ઞ, સંતવાણી અને ભજન સંધ્યા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે અને જેનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કર્યો છે.

મોરબીના બેલા ગામ પાસે સદગુરુ પરમાત્મા કેશવાનંદ બાપુના પ્રસાદ સ્વરૂપ, ભજનભૂમિ શ્રી ખોખરા હનુમાન હરિહરધામ ખાતે અનંત શ્રીવિભૂષિત માતાજી કનકેશ્વરી દેવીજીની પ્રેરણા અનુસાર માગશર સુદ નોમને શુક્રવારે તા 28/11 થી તા 2/12 સુધી સાધુ સંતો તથા વિદ્વાન આચાર્યોના સાનિધ્યમાં પાંચ દિવસીય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શ્રી ખોખરા હનુમાન હરિહરધામ સેવા સમિતિ તથા સદગુરુ પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં તા. 28 થી 2 સુધી ડીસેમ્બર સુધી શ્રી વિષ્ણુ મહાયજ્ઞ, તા. 29 ના રોજ રાત્રે 9:30 કલાકે સંતવાણી, ભજન સંધ્યાનું આયોજન કર્યું છે અને તા. 30 ના રોજ ધર્મસભા, શ્રીનવગ્રહ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને ધૂણી સ્થાપના અને તા 2 ડિસેમ્બરે શ્રી વિષ્ણુ મહાયજ્ઞની પુર્ણાહુતી કરવામાં આવશે જેનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે.






Latest News