ટંકારામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિએ સરદારબાગ-સ્ટેચ્યુ નિર્માણની જાહેરાત
SHARE
ટંકારામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિએ સરદારબાગ-સ્ટેચ્યુ નિર્માણની જાહેરાત
ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ટંકારામાં એક મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ટંકારા પટેલ સમાજ એસો. દ્વારા ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટી ખાતે આવેલ સાર્વજનિક પ્લોટમાં સરદાર વલ્લભભાઈ પટેલનું ભવ્ય સ્ટેચ્યુ તથા સુંદર “સરદારબાગ” બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ટંકારા પટેલ સમાજ એસો.ના આગેવાને માહિતી આપતા જણાવ્યુ હતું કે, આગામી ટૂંક સમયમાં ભૂમિપૂજન સાથે “ખાત મુહૂર્ત” નું આયોજન કરવામાં આવશે. અને આશરે 20 લાખના ખર્ચે આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું આયોજન કર્યું છે અને ટંકારા શહેરને એક મહત્વનો જાહેર બગીચો તથા પ્રેરણાત્મક સ્મારક મળશે. છેલ્લા ઘણા વર્ષોથી ટંકારા પટેલ સમાજ એસો. સમાજ સેવા માટે અવિરત કાર્યરત છે. અને ખાસ કરીને ફ્રી સબવાહિની સેવા દ્વારા મોરબી જિલ્લામાં અનેક પરિવારોને લાભ મળ્યો છે, જે સમાજની કલ્યાણશીલ ભાવનાનું પ્રતિક છે. ટંકારા શહેરમાં જાહેર બગીચાનો અભાવ હોવાથી આ આયોજનનો સ્થાનિક લોકો દ્વારા આવકાર કરવામાં આવેલ છે અને આ કાર્ય સરદાર સાહેબના આદર્શોને અનુસરતી યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.