મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

ટંકારામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિએ સરદારબાગ-સ્ટેચ્યુ નિર્માણની જાહેરાત


SHARE











ટંકારામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિસરદારબાગ-સ્ટેચ્યુ નિર્માણની જાહેરાત

ભારતના  લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ટંકારામાં એક મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ટંકારા પટેલ સમાજ એસો. દ્વારા ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટી ખાતે આવેલ સાર્વજનિક પ્લોટમાં સરદાર વલ્લભભાઈ પટેલનું ભવ્ય સ્ટેચ્યુ તથા સુંદર સરદારબાગબનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ટંકારા પટેલ સમાજ એસો.ના આગેવાને માહિતી આપતા જણાવ્યુ હતું કે, આગામી ટૂંક સમયમાં ભૂમિપૂજન સાથે ખાત મુહૂર્તનું આયોજન કરવામાં આવશે. અને આશરે 20 લાખના ખર્ચે આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું આયોજન કર્યું છે અને ટંકારા શહેરને એક મહત્વનો જાહેર બગીચો તથા પ્રેરણાત્મક સ્મારક મળશે. છેલ્લા ઘણા વર્ષોથી ટંકારા પટેલ સમાજ એસો. સમાજ સેવા માટે અવિરત કાર્યરત છે. અને ખાસ કરીને ફ્રી સબવાહિની સેવા દ્વારા મોરબી જિલ્લામાં અનેક પરિવારોને લાભ મળ્યો છે, જે સમાજની કલ્યાણશીલ ભાવનાનું પ્રતિક છે. ટંકારા શહેરમાં જાહેર બગીચાનો અભાવ હોવાથી આ આયોજનનો સ્થાનિક લોકો દ્વારા આવકાર કરવામાં આવેલ છે અને આ કાર્ય સરદાર સાહેબના આદર્શોને અનુસરતી યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.






Latest News