ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

ટંકારા નજીક પડી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત: મોરબીના મકનસર ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ વૃદ્ધનું મોત


SHARE











ટંકારા નજીક પડી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત: મોરબીના મકનસર ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ વૃદ્ધનું મોત

ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ હોટલ નજીક માનસિક બીમાર યુવાન કોઈ કારણોસર પડી જતા તેને જમણા પગની ઘૂટીમાં ઈજા થઈ હતી અને વધુ પ્રમાણમાં લોહી નીકળી ગયું હતું જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે મોરબી તાલુકાના મકાનસર ગામે રહેતા વૃદ્ધને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તેમનું મોત નીપજ્યું હતું.

મૂળ અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કરગથળ ગામનો રહેવાસ નરેશભાઈ ઉર્ફે ટીનો જેણાજીભાઈ બકરાણીયા (36) નામનો યુવાન ટંકારા રાજકોટ રોડ ઉપર આવેલ ખજુરા હોટલથી આગળના ભાગમાં હતો ત્યારે આ માનસિક બીમાર યુવાન પડી ગયો હતો જેથી તેને જમણા પગમાં ઘુટીના ભાગે ઇજા થયેલ હતી અને વધુ પ્રમાણમાં લોહી વહી ગયું હતું જેથી તેનું મોત નીપજયું હતુ અને ત્યારબાદ આ બનાવની મૃતક યુવાનના પિતા જેણાજી દેવાજી બકરાણીયા (70) રહે. કરગથળ તાલુકો વિરમગામ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જ્યારે મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા વાસુદેવભાઈ કુંવરજીભાઈ કવાડિયા (61) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે તેઓને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો જેથી તેને રાકેશભાઈ તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા જો કે, ફરજ ઉપરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News