ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી


SHARE











વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકોને વીજ કનેક્શનનો જે પ્રશ્ન હતો તે ઉકેલીને આજે એકી સાથે 313 જેટલા લોકોને વીજ કનેક્શન આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. અને એક જ દિવસમાં મોરબીમાં 250 જેટલા લોકોને વીજ કનેક્શન આપવામાં આવ્યો હોય તે પણ એક નવો ઇતિહાસ બની ગયો છે.

વિકાસ સપ્તાહ અંતર્ગત જુદી જુદી જગ્યા ઉપર જુદા જુદા કાર્યક્રમો યોજાય છે ત્યારે મોરબીની આસપાસમાં જે વાડી વિસ્તાર આવેલ છે જ્યાં સતવારા સમાજના લોકો વધુ પ્રમાણમાં રહેતા હોય છે તેઓને રહેણાંક મકાનના વીજ કનેક્શન લેવા માટે થઈને છેલ્લા લગભગ ત્રણેક વર્ષથી જે પ્રશ્નો હતા તે પ્રશ્નો ઉકેલવા માટે થઈને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા દરમિયાનગીરી કરવામાં આવી હતી અને સરકારમાંથી સ્પેશિયલ મંજૂરી મેળવીને વિકાસ સપ્તાહ અંતર્ગત હાલમાં વન ઓવર વન કનેક્શન જે અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત આજે પીજીવીસીએલના એમડી કેતનભાઇ જોષી મોરબી હાજર રહ્યા હતા તે ઉપરાંત ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના અગ્રણીઓ ત્યાં હાજર રહ્યા હતા અને એકી સાથે મોરબીની જુદી જુદી વાડી વિસ્તારની અંદર રહેતા 313 જેટલા લોકોને વીજ કનેક્શન આપવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી અને મોરબીમાં એક જ દિવસમાં વાડી વિસ્તારની અંદર રહેતા 250 જેટલા લોકોને વીજ કનેક્શન આપવામાં આવ્યા છે અને બાકીના લોકોને પણ વહેલી તકે વીજ કનેક્શન મળી જશે તેવી વીજ કંપનીના અધિકારીઓએ ખાતરી આપેલ છે આ વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાતા સતવારા સમાજની અંદર પણ હર્ષની લાગણી જોવા મળી હતી






Latest News