વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી


SHARE











વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકોને વીજ કનેક્શનનો જે પ્રશ્ન હતો તે ઉકેલીને આજે એકી સાથે 313 જેટલા લોકોને વીજ કનેક્શન આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. અને એક જ દિવસમાં મોરબીમાં 250 જેટલા લોકોને વીજ કનેક્શન આપવામાં આવ્યો હોય તે પણ એક નવો ઇતિહાસ બની ગયો છે.

વિકાસ સપ્તાહ અંતર્ગત જુદી જુદી જગ્યા ઉપર જુદા જુદા કાર્યક્રમો યોજાય છે ત્યારે મોરબીની આસપાસમાં જે વાડી વિસ્તાર આવેલ છે જ્યાં સતવારા સમાજના લોકો વધુ પ્રમાણમાં રહેતા હોય છે તેઓને રહેણાંક મકાનના વીજ કનેક્શન લેવા માટે થઈને છેલ્લા લગભગ ત્રણેક વર્ષથી જે પ્રશ્નો હતા તે પ્રશ્નો ઉકેલવા માટે થઈને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા દરમિયાનગીરી કરવામાં આવી હતી અને સરકારમાંથી સ્પેશિયલ મંજૂરી મેળવીને વિકાસ સપ્તાહ અંતર્ગત હાલમાં વન ઓવર વન કનેક્શન જે અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત આજે પીજીવીસીએલના એમડી કેતનભાઇ જોષી મોરબી હાજર રહ્યા હતા તે ઉપરાંત ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના અગ્રણીઓ ત્યાં હાજર રહ્યા હતા અને એકી સાથે મોરબીની જુદી જુદી વાડી વિસ્તારની અંદર રહેતા 313 જેટલા લોકોને વીજ કનેક્શન આપવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી અને મોરબીમાં એક જ દિવસમાં વાડી વિસ્તારની અંદર રહેતા 250 જેટલા લોકોને વીજ કનેક્શન આપવામાં આવ્યા છે અને બાકીના લોકોને પણ વહેલી તકે વીજ કનેક્શન મળી જશે તેવી વીજ કંપનીના અધિકારીઓએ ખાતરી આપેલ છે આ વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાતા સતવારા સમાજની અંદર પણ હર્ષની લાગણી જોવા મળી હતી






Latest News