ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામ નજીક કારખાનાના શેડ ઉપરથી નીચે પટકાતાં માથામાં હેમરેજ થવાથી યુવાનનું મોત


SHARE











ટંકારાના હરબટીયાળી ગામ નજીક કારખાનાના શેડ ઉપરથી નીચે પટકાતાં માથામાં હેમરેજ થવાથી યુવાનનું મોત

ટંકારાના હરબટીયાળી ગામ નજીક આવેલ કારખાનામાં શેડ ઉપર તૂટી ગયેલ અંજવાસીયાને બદલવા માટેની કામગીરી ચાલુ હતી ત્યારે યુવાનનો પગ લપસી જતા તે ઉપરથી નીચે ટકાયો હતો જેથી તેને માથામાં હેમરેજ થવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને ટંકારાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના હરબટીયાળી ગામ પાસે આવેલ સેયજોન એફઆઈબીસી એલએલપી કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા આનંદભાઈ દયાશંકર બર્મા (25) નામનો યુવાન ગઈકાલે બપોરના સમયે કારખાનાના સેડ ઉપર તૂટી ગયેલ અંજવાસીયાને બદલવા માટે ગયો હતો અને ત્યારે ત્યાં કામગીરી કરતા સમયે પગ લપસી જવાના કારણે અકસ્માતે તે યુવાન શેડ ઉપરથી નીચે પ્લાન્ટમાં પડ્યો હતો અને ત્યારે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેને હેમરેજ થયું હતું અને તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેને ટંકારાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બીમારી સબબ મોત

વાંકાનેરના દિગ્વિજય નગરમાં રહેતા બહાદુરખાન બુરાનખાન પઠાણ (79) નામના વૃદ્ધ પેડક સોસાયટીમાં દુકાને બેઠા હતા ત્યારે અચાનક તેને શ્વાસ ચડતા તેઓ બેભાન થઈ ગયા હતા જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું અને બીમારી સબબ વૃદ્ધનું મોત થયું હોય આ અંગેની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હોસ્પિટલ મારફતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.






Latest News