ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

ટંકારા: પાલણપીરના મેળામાં સાસંદ-ધારાસભ્ય સહિતઓએ દાદાનાં દર્શન કર્યા


SHARE











ટંકારા: પાલણપીરના મેળામાં સાસંદ-ધારાસભ્ય સહિતઓએ દાદાનાં દર્શન કર્યા

ટંકારા તાલુકાના હડમતિયા મુકામે પાલણપીરની મેડીએ ત્રિદિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું  છે જેમાં રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યાં હતાં. મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, ટંકારા પડધરીનાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયામોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી તાલુકા પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, મોરબી જિલ્લા ભાજપ અજા મોરચા પ્રમુખ બાબુભાઈ પરમાર, મહેશભાઈ પરમાર, દિનેશભાઈ પરમાર, રણછોડભાઈ મકવાણા, મોરબી જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન અશોકભાઈ ચાવડા સહિતનાં મહાનુભાવો હાજર રહ્યા હતા તેનું સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અને મંદિરનાં ટ્રસ્ટી દેશા આપાગરનું વિશેષ અભિવાદન કરાયું હતું અને પાલણપીરનાં મંદિરે આવેલા રાજકીય આગેવાનોએ મંદિરના વિકાસ માટે તન, મન, ધનથી મદદરૂપ થવાનું વચન આપ્યું હતું. જેથી પાલણપીર સેવા સમિતિ વતી અર્જુનભાઈ ચૌહાણ, નાગજીભાઈ ચૌહાણ, ચંપાબેન મારૂ સહિતનાં પ્રતિનિધિઓએ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News