ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

ટંકારાના વાછકપર બેડીમાં શેઢા પાસે જેસીબી કેમ ચલાવ્યું? કહીં યુવાન પર લાકડી વડે હુમલો


SHARE











ટંકારાના વાછકપર બેડીમાં શેઢા પાસે જેસીબી કેમ ચલાવ્યું? કહીં યુવાન પર લાકડી વડે હુમલો

ટંકારાના વાછકપર બેડી ગામમાં શેઢા પાસે જેસીબી કેમ ચલાવ્યું? તેમ કહીં યુવાન પર લાકડી વડે હુમલો કરાયો હતો. ઈજાગ્રસ્ત જયદીપ વઢુકિયાને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો.

આ અંગેની માહિતી મુજબ, જયદીપ દિલીપભાઈ વઢુકિયા (ઉંમર વર્ષ 21, રહે.વાછકપર બેડી ગામ, તાલુકો ટંકારા જિલ્લો મોરબી) ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યા આસપાસ પોતે વાછકપર બેડી ગામમાં હતા ત્યારે સામેવાળા હમીર અને જય તથા જેન્તી તેમજ તેની સાથેના માણસોએ ઝઘડો કરી લાકડી વડે માર મારતા માથે અને શરીરે મુંઢ ઇજા થતાં અર્ધ બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલ. જયદીપે જણાવ્યું કે, ચાર પાંચ ખેડૂતને વાડીએ જવાનો રસ્તો હોય.

જેમાં બાવળીયા ઉગી ગયા હોય, રસ્તો સાફ કરવા જેસીબી મંગાવ્યું હતું. પોતે જેસીબી લઈ રસ્તો સાફ કરતો હતો ત્યાં જ રસ્તા કાંઠેની વાડીના ખેડૂત અને તેના ગામમાં જ રહેતા સામેવાળાઓ ત્યાં આવી ગયા હતા અને ઝઘડો કરી માર માર્યો હતો.






Latest News