મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના હડમતિયા ઉધોગપતિ પંકજ રાણસરીયાએ વૈકુંઠ રથ અર્પણ કર્યો


SHARE











ટંકારા તાલુકાના હડમતિયા ઉધોગપતિ પંકજ રાણસરીયાએ વૈકુંઠ રથ અર્પણ કર્યો

મોરબીના ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયાએ પોતાના દાદીમા ના સ્મરણાર્થે હડમતિયા મુક્તિધામ ને "વૈકુંઠ રથ" અર્પણ કરી પોતાની જન્મભૂમિ કાજે વતનપ્રેમની સુહાસ પ્રસરાવી છે જ્યારે કોઈ સ્વજનનું મૃત્યુ થાય અને તેને વૈકુંઠ ધામમાં પહોંચવા માટે વૈકુંઠ રથ બનાવવાનો વિચાર આવ્યો હતો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના દુઃખમાં સહભાગી થવાના આશય સાથે આ અનોખો વૈકુંઠ રથ તૈયાર કર્યો છે. 

ટંકારા તાલુકાના હડમતિયા ગામનુ મુક્તિધામ એટલે  ઈન્દ્રલોકધામ સમું આકાર પામ્યું છે ત્યારે મુક્તિધામમાં ગામના જ મોરબીના ઉધોગપતિ રાણસરીયા કાંતિલાલ તરશીભાઈના પુત્રો પંકજભાઈ તેમજ સુમિતભાઈને વિચાર આવ્યો કે જીવતા જીવની તો અનેક સેવા થાય છે પરંતુ અંતિમયાત્રાની સેવા મહાન સેવા છે તેમ વિચારી પોતાના  દાદીમાં સ્વ. સવિતાબેન તરશીભાઈ રાણસરીયાના સ્મરણાર્થે માદરે વતન હડમતિયા મુક્તિધામને સ્ટેનલેસ સ્ટીલ દ્વારા બનાવેલ "વૈકુંઠ રથ" અર્પણ કરવામાં આવ્યો હતો. વૈકુંઠ રથ (સબ વાહિની રથ ) જેમાં કોઈપણ સમાજના પરિવારમાં મૃત્યું થયું હોય ત્યારે શબને આ વૈકુંઠ રથની સવારીમાં મુક્તિધામના મેઈન ગેઈટ સુધી આદર સાથે પહોંચાડવામાં આવશે ત્યારબાદ ગેઈટથી પોતાના વ્હાલા સ્વજનને કાંધ આપવામાં આવશે. આમ સમાજ સેવાના ભેખધારી સામાજિક કાર્યકર અને મોરબીના ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયાએ કોરોનાની વિક્ટ પરિસ્થિતિમાં ગરીબ દર્દીઓ માટે રાત-દિવસ એક કરીને ટિફિન સેવા તેમજ જરુર પડે ત્યાં આર્થિક મદદ પહોંચાડવામાં માનવતાને છાજે તેવું સમાજમાં તન,મન,ધનથી કચાસ રહેવા દીધી નથી ત્યારે આવા માનવતાના મસિહાની વતનપ પ્રત્યેની માનવતા ગ્રામજનોએ વધાવી હતી






Latest News