મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના 47 યાત્રાળુઓ ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ફસાયા


SHARE















મોરબી જીલ્લાના 47 યાત્રાળુઓ ઉતરાખંડમાં ફસાયા છે કેમ કે ઉત્તરાખંડના ચમોલીમાં ભારે વરસાદ પડવાના કારણે હાલમાં રસ્તાઓ બંધ થઇ ગયા છે અને ટ્રાફિક પણ જામ થયો હોવાથી જુદાજુદા યાત્રાળુઓ ફસાયા છે ત્યારે મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના મીતાણાથી બાલાજી ટ્રાવેલ્સ બસમાં ગયેલા 47 યાત્રાળુઓ ઉત્તરાખંડમાં ગયા હતા તે ત્યા ફસાયા છે જો કે, હાલમાં તે તમામ હેમખેમ છે અનો આ યાત્રાળુઓમાં પાંચ બાળકો, 15 મહિલા અને 5 વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે ત્યારે રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબી જીલ્લાના યાત્રાળુઓ પૈકીના વિવેકભાઇ મનસુખભાઇ પરમાર સાથે વાતચીત કરી હતી અને તેઓના ખબક પુછ્યા હતા અને રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટના કમિશનર સાથે સંપર્કમાં રહીને યાત્રાળુઓને માટે વ્યવસ્થા ગોઠવાવી હતી હાલમાં ભારે વરસાદના લીધે રસ્તા બંધ થતા મોરબી જીલ્લાના 47 યાત્રાળુઓ સહિતના ઘણા લોકો ત્યા ફસાયા છે ત્યારે ઉત્તરાખંડ સરકાર અને વહીવટી તંત્ર દ્વારા તમામ કામગીરી કરવામાં આવી રહી હોય વહેલી તકે પરિસ્થિતિ સામાન્ય થશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે






Latest News