મોરબી જિલ્લાના 47 યાત્રાળુઓ ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ફસાયા
SHARE








મોરબી જીલ્લાના 47 યાત્રાળુઓ ઉતરાખંડમાં ફસાયા છે કેમ કે ઉત્તરાખંડના ચમોલીમાં ભારે વરસાદ પડવાના કારણે હાલમાં રસ્તાઓ બંધ થઇ ગયા છે અને ટ્રાફિક પણ જામ થયો હોવાથી જુદાજુદા યાત્રાળુઓ ફસાયા છે ત્યારે મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના મીતાણાથી બાલાજી ટ્રાવેલ્સ બસમાં ગયેલા 47 યાત્રાળુઓ ઉત્તરાખંડમાં ગયા હતા તે ત્યા ફસાયા છે જો કે, હાલમાં તે તમામ હેમખેમ છે અનો આ યાત્રાળુઓમાં પાંચ બાળકો, 15 મહિલા અને 5 વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે ત્યારે રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબી જીલ્લાના યાત્રાળુઓ પૈકીના વિવેકભાઇ મનસુખભાઇ પરમાર સાથે વાતચીત કરી હતી અને તેઓના ખબક પુછ્યા હતા અને રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટના કમિશનર સાથે સંપર્કમાં રહીને યાત્રાળુઓને માટે વ્યવસ્થા ગોઠવાવી હતી હાલમાં ભારે વરસાદના લીધે રસ્તા બંધ થતા મોરબી જીલ્લાના 47 યાત્રાળુઓ સહિતના ઘણા લોકો ત્યા ફસાયા છે ત્યારે ઉત્તરાખંડ સરકાર અને વહીવટી તંત્ર દ્વારા તમામ કામગીરી કરવામાં આવી રહી હોય વહેલી તકે પરિસ્થિતિ સામાન્ય થશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે

