મોરબી જીલ્લાના દસમાથી પાંચ ડેમ ઓવરફ્લો: મોટાભાગના ડેમોમાં નવા નીરની આવક
ટંકારાના અમરાપર પાસે કોઝવેની જગ્યાએ પુલ બનાવવાની માંગ કેમ ધ્યાને લેવાતી નથી ?
SHARE








ટંકારાના અમરાપર પાસે કોઝવેની જગ્યાએ પુલ બનાવવાની માંગ કેમ ધ્યાને લેવાતી નથી ?
ટંકારાના જુદાજુદા ગામોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમી નદીમાપણી આવ્યું હતું અને ટંકારા તેમજ વાકાનેરને જોડતા રસ્તા ઉપર કોઝવેમાં પાણી આવી હતું હતું જેથી કરીને અમરાપર, ટોળ, કોઠારીયા ગામના રહીશોનો ટંકારા સાથે સંપર્ક ટુટી ગયો હતો તેવામાં આ કેઝવે ઉપરથી બાઇક આઈને પસાર થવા માટે એક યુવાન નીકળ્યો હતો અને તેનું બાઇક પાણીના પ્રવાહમાં તણાઇ ગયું હતું અને યુવાનનો જીવ માંડ માંડ બચ્યો હતો અત્રે ઉલેખનીય છે કે, દર વર્ષે ચોમાસામાં આવી જ પરિસ્થિતી હોય છે જેથી કરીને અમરાપર ગામના હુસેનભાઇ સહિતના આગેવાનોએ અનેક વખત અધિકારીઓ અને પદાધિકારીઓને કોઝવેની જગ્યાએ પુલ બનાવી આપવાની માંગ કરેલ છે જો કે, તેને ધ્યાને લેવામાં આવી રહી નથી જેથી કરીને અધિકારીઓ અને પદાધિકારીઓ આ કેઝવે ઉપર જીવલેણ અકસ્માતનો બનાવ બને તેની રાહ જોઈ રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે

