મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

ટંકારાના અમરાપર પાસે કોઝવેની જગ્યાએ પુલ બનાવવાની માંગ કેમ ધ્યાને લેવાતી નથી ?


SHARE















ટંકારાના અમરાપર પાસે કોઝવેની જગ્યાએ પુલ બનાવવાની માંગ કેમ ધ્યાને લેવાતી નથી ?

ટંકારાના જુદાજુદા ગામોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમી નદીમાપણી આવ્યું હતું અને ટંકારા તેમજ વાકાનેરને જોડતા રસ્તા ઉપર કોઝવેમાં પાણી આવી હતું હતું જેથી કરીને અમરાપર, ટોળ, કોઠારીયા ગામના રહીશોનો ટંકારા સાથે સંપર્ક ટુટી ગયો હતો તેવામાં આ કેઝવે ઉપરથી બાઇક આઈને પસાર થવા માટે એક યુવાન નીકળ્યો હતો અને તેનું બાઇક પાણીના પ્રવાહમાં તણાઇ ગયું હતું અને યુવાનનો જીવ માંડ માંડ બચ્યો હતો અત્રે ઉલેખનીય છે કે, દર વર્ષે ચોમાસામાં આવી જ પરિસ્થિતી હોય છે જેથી કરીને અમરાપર ગામના હુસેનભાઇ સહિતના આગેવાનોએ અનેક વખત અધિકારીઓ અને પદાધિકારીઓને કોઝવેની જગ્યાએ પુલ બનાવી આપવાની માંગ કરેલ છે જો કે, તેને ધ્યાને લેવામાં આવી રહી નથી જેથી કરીને અધિકારીઓ અને પદાધિકારીઓ આ કેઝવે ઉપર જીવલેણ અકસ્માતનો બનાવ બને તેની રાહ જોઈ રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે






Latest News