ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી નજીક સર્જાયેલા જુદાજુદા બે જીવલેણ અકસ્માતમાં જુદીજુદી ફરિયાદ નોંધાઈ


SHARE











મોરબી નજીક સર્જાયેલા જુદાજુદા બે જીવલેણ અકસ્માતમાં જુદીજુદી ફરિયાદ નોંધાઈ

મોરબીના બાયપાસ રોડે જુની આરટીઓ કચેરી પાસે અજાણ્યા વાહનની હડફેટે ચડી જવાથી ઇજા પામેલા યુવાનનું રાજકોટ સારવારમાં મોત નીપજયું હતું જે બનાવમાં મૃતક યુવાનના પિતાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને અજાણ્યા વાહન ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે

મોરબીના પીપળી ગામે મારૂતિપાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ માળિયા મિંયાણાના વવાણીયા ગામના મુન્નાભાઈ વિજયભાઈ ચાવડા નામનો ૧૮ વર્ષનો યુવાન ગત તા ૮/૯ નરોજ બાઈક લઈને જતો હતો ત્યારે કંડલા બાયપાસ જુની આરટીઓ કચેરી પાસે અજાણ્યા વાહનની હડફેટે ચડી જતા હતા મુન્નાભાઇને માથા તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ થતા મુન્નાભાઈ વિજયભાઈ ચાવડાને ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં લઈ જવાયો હતો. અને ત્યાથી ઇજાગ્રસ્ત મુન્નાભાઈને વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા ત્યાં તેનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજયુ હતું આ બનાવમાં હાલમાં મૃતકના પિતા વિજયભાઈ જગાભાઈ કોળી (૪૦) એ અજાણ્યા વાહન ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ગુનો નોંધાયો

મોરબીના લીલાપર-કેનાલ રોડ પાસે આવેલ બોરીયાપાટી વિસ્તારના રહેવાસી અવચરભાઇ બેચરભાઈ પરમાર જાતે સથવારા (૫૫) તથા તેમના કૌટુંબિક કાકા પ્રેમજીભાઈ કલ્યાણજીભાઈ પરમાર બંને ગઇકાલે બોરીયાપાટીમાંથી પગપાળા માતાના મઢ(કચ્છ) જવા માટે નીકળ્યા હતા. અને બપોરના પોણા બારેક વાગ્યાના અરસામાં લક્ષ્મીનગર ગામના પાસે ક્રેનના ચાલકે અવચરભાઇ બેચરભાઈ પરમારને હડફેટે લીધા હતા જેથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું આ બનાવમાં મૃતકના દીકરા મહેશ અવચરભાઇએ હાલમાં ક્રેનના ચાલકની સામે ફરિયાદ નોંધવી છ






Latest News