મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ
મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો
SHARE
મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો
મોરબી તાલુકા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું લગ્નની લાલચ આપીને અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે વારંવાર શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે અપહરણ અને દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડ્યા હતા અને આ કેસ મોરબી જિલ્લાની સ્પેશયલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મુખ્ય આરોપીને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા અને 25000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે જ્યારે 4 આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે
મોરબી તાલુકા વિસ્તારમાં વર્ષ 2024 માં સગીરાનુ લગ્ન કરવાની લાલચ આપીને અપહરણ કરવામાં આવ્યું હતું જે બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં મુખ્ય આરોપી તથા તેની મદદગારી કરનાર સહિત કુલ 5 આરોપીઓને અપહરણ અને દુષ્કર્મના ગુનામાં ઝડપી લીધા હતા જે કેસ મોરબી જિલ્લાની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં જજ ભૂમિકા કન્યાલાલ ચંદારાણા સાહેબ સમક્ષ ચાલી ગયો હતો જેમાં મોરબી જિલ્લાના મદદનીસ સરકારી વકીલ સંજયભાઈ સી. દવે અને નીરજભાઈ ડી. કારીઆ દ્વારા કરવામાં આવેલી દલીલો તેમજ 17 મૌખિક અને 35 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટ દ્વારા મુખ્ય આરોપી વનરાજસિંહ ઉર્ફે નાનુભા બચુભા ઝાલાને 20 વર્ષની સખત કેદની સજા અને 25000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે જ્યારે આરોપી વિજુભા ઉર્ફે વિજય ચેહુભા ઝાલા, મંગુબા બચુભા ઝાલા, દોલુભા ઉર્ફે દોલુ બચુભા ઝાલા અને શક્તિસિંહ ઉર્ફે ટીનુભા બાબુભા વાઘેલાને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકવામાં આવેલ છે ઉલેખનીય છે કે, મોરબી જિલ્લાના મદદનીસ સરકારી વકીલ નીરજભાઈ ડી. કારીઆ દ્વારા છેલ્લે ત્રણ દિવસમાં જુદાજુદા ગંભીર પ્રકારના ત્રણ ગુનામાં આરોપીઓને સજા અપાવવામાં આવેલ છે જેમાં એસીબીના કેસમાં કલાર્ક તેમજ દુષ્કર્મના કેસમાં આરોપીને સજા છેલ્લા બે દિવસમાં કરવામાં આવી ત્યાર બાદ આજે વધુ એક કેસમાં આરોપીને કોર્ટે સજા ફટકારતાં આરોપીઓને સજા કરવામાં મદદનીસ સરકારી નીરજભાઈ ડી. કારીઆએ હેટ્રીક કરી છે તેવી કહીએ તો તેમાં જરાપણ અતિશયક્તિ નથી.